બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાંચ દિવસ લગ્ન... પછી નદીમાં વિસર્જન, જાણો કેમ ઉજવાય છે ઢીંગલા બાપાનો અનોખો મહોત્સવ
10 ફોટો ગેલેરી
Last Updated: 07:45 PM, 12 August 2026
1/10
દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારી જિલ્લામાં આદિવાસી તથા હળપતિ સમાજ દ્વારા વર્ષો જૂની લોકપરંપરા મુજબ દિવસો મહોત્સવ અને ઢીંગલા ઉત્સવ ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભાવ સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સમાજની એકતા, સંસ્કૃતિ અને પૂર્વજોની પરંપરાઓને જીવંત રાખવાનો એક મહત્વપૂર્ણ અવસર પણ છે.
2/10
દર વર્ષે આ ઉત્સવ દરમિયાન દક્ષિણ ગુજરાતના આશરે 35 હજારથી વધુ આદિવાસીઓ ઉપરાંત સમગ્ર ગુજરાતના 13 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો નવસારી પહોંચે છે. ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક પરંપરાના સંગમ સમાન આ ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણ, લોકસંગીત અને પરંપરાગત નૃત્યોથી ગુંજી ઊઠે છે.
3/10
4/10
લોકવાયકા અનુસાર તે સમય દરમિયાન બ્રિટિશ શાસન અને ગાયકવાડ રાજનો સમય હતો. તે સમયે હળપતિ અને આદિવાસી સમાજના ઘણા લોકો પારસીઓના દારૂ અને તાડીના પીઠા પર કામ કરતા હતા. અચાનક ફેલાયેલા કોલેરાના રોગચાળાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
5/10
સમાજને આ મહામારીમાંથી બચાવવા માટે અગિયારીમાં અગ્નિદેવતાની આરાધના કરવામાં આવી હતી. માન્યતા મુજબ અગ્નિદેવતાની કૃપાથી એક સપનામાં માર્ગદર્શન મળ્યું હતું કે માનવ આકારનું એક પૂતળું એટલે કે 'ઢીંગલો' બનાવવો, પાંચ દિવસ સુધી તેના લગ્નની વિધિ કરવી, નાચ-ગાન અને ધાર્મિક વિધિઓ સાથે ઉજવણી કરવી અને ત્યારબાદ પૂર્ણા નદીના કોતરમાં તેનું વિસર્જન કરવું.
6/10
સમાજે આ વિધિ પૂર્ણ શ્રદ્ધા સાથે કરી હતી. લોકમાન્યતા મુજબ આ વિધિ બાદ કોલેરાનો રોગચાળો ધીમે-ધીમે શાંત થયો હતો અને સમાજને મહામારીમાંથી મુક્તિ મળી હતી. ત્યારથી આ પરંપરા સતત જીવંત રહી છે અને આજે પણ દાનવર વિસ્તારમાં દર વર્ષે આ ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે.
7/10
ઉત્સવ દરમિયાન વિશાળ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. મેળામાં રમકડાં, ઘરગથ્થુ વસ્તુઓ, પરંપરાગત હસ્તકલાની ચીજો, ખાણી-પીણીની વિવિધ વાનગીઓ અને સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ થાય છે. આ મેળો માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે, કારણ કે હજારો નાના વેપારીઓને રોજગારી મળે છે.
8/10
ઉત્સવના મુખ્ય દિવસે સમગ્ર સમાજ એકજૂથ થઈને ઢીંગલા બાપાની પૂજા કરે છે, મન્નતો માને છે અને પરિવારના સુખ-સમૃદ્ધિ તેમજ રોગમુક્તિ માટે પ્રાર્થના કરે છે. સાંજ પડતાં વાજતે-ગાજતે, ઢોલ-નગારાના તાલે અને પરંપરાગત નૃત્ય સાથે ઢીંગલાને પૂર્ણા નદી સુધી લઈ જવામાં આવે છે અને વિધિવત રીતે તેનું વિસર્જન કરવામાં આવે છે.
9/10
સમય બદલાયો છે, જીવનશૈલી બદલાઈ છે અને આધુનિકતા વધી છે, છતાં આદિવાસી અને હળપતિ સમાજે પોતાના પૂર્વજોની આસ્થા, સંસ્કૃતિ અને લોકપરંપરાને આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે જાળવી રાખી છે. યુવા પેઢી પણ આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવી રહી છે.
10/10
દિવસો મહોત્સવ અને ઢીંગલા ઉત્સવ આજે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ આદિવાસી સમાજની ઓળખ, એકતા અને સાંસ્કૃતિક ગૌરવનું જીવંત પ્રતિક બની ગયો છે. હજારો લોકોની આસ્થા સાથે જોડાયેલો આ ઉત્સવ નવસારીની આગવી ઓળખ બની ગયો છે અને દર વર્ષે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ સંસ્કૃતિપ્રેમીઓને પોતાની તરફ આકર્ષે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ