બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ તારીખો દરમ્યાન PM મોદી આવશે માદરે વતન, લેશે વડનગર-બેચરાજીની મુલાકાત
Last Updated: 08:58 AM, 13 August 2025
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી બીજી વખત માદરે વતન પધારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે પોતાની માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને બેચરાજી ખાતે વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે.
ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ દિવસે વડનગરમાં પીએમ મોદી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે, જે મુસાફરો માટે આધુનિક અને સુવિધાસભર મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. આ હબ વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવશે.
ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેચરાજી ખાતે પ્રધાનમંત્રી દ્વારા મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્લાન્ટથી રાજ્યમાં રોજગારીની તકો વધશે અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે, જ્યાં તેઓ રાજ્યના અગ્રણીઓ સાથે બેઠક યોજીને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને વિકાસ કાર્યક્રમોની સમીક્ષા કરશે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: આજે ગાંધીનગરમાં મહત્વની કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીનો આ પ્રવાસ માત્ર ઉદ્ઘાટન સુધી મર્યાદિત નહીં રહીને રાજ્યના વિકાસને નવી દિશા આપવાનો સંકેત આપે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.