બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ખેડૂતોને છેતરતા લોકો સીધા જેલભેગા થશે, બિયારણમાં ગેરરીતિ કરનારાને જીતુ વાઘાણીની ચેતવણી

ગાંધીનગર / ખેડૂતોને છેતરતા લોકો સીધા જેલભેગા થશે, બિયારણમાં ગેરરીતિ કરનારાને જીતુ વાઘાણીની ચેતવણી

Priykant Shrimali

Last Updated: 12:15 PM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Seed fraud : ખેડૂતોને છેતરનારા સામે સરકાર કડક: ગેરરીતિ કરનારાઓને સીધી જેલની ચેતવણી

Gujarat Seed fraud : ગુજરાતમાં ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકાર વધુ સખત વલણ અપનાવી રહી છે. વાસ્તવમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેપારમાં ગેરરીતિ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા તત્વો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિઓ, વેપારીઓ કે સંસ્થાઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે અને જરૂરી હોય ત્યાં સીધા જ કાયદાકીય કાર્યવાહી કરીને જેલભેગા કરવામાં આવશે.

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન રાજ્યભરમાં વ્યાપક ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગની 85 વિશેષ ટીમોએ વિવિધ જિલ્લાઓમાં ઉત્પાદકો, વિક્રેતાઓ અને સંકળાયેલી સંસ્થાઓની તપાસ કરી હતી. આ અભિયાન દરમિયાન કુલ 3,526 ઉત્પાદકો અને વિક્રેતાઓની કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અનેક ગેરરીતિઓ સામે આવતા છેલ્લા ત્રણ મહિનામાં જ 54 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે કેસોમાં સીધી ફરિયાદ નોંધાવાઈ છે. વર્ષ 2025 દરમિયાન પણ વિભાગે નોંધપાત્ર કાર્યવાહી કરતા 246 લાયસન્સ રદ કર્યા હતા અને 26 વ્યક્તિઓ સામે કાનૂની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.

ખાસ કરીને ટેક્નિકલ ગ્રેડ યુરિયાના ગેરકાયદે ઉપયોગને લઈને પણ વિભાગ સતર્ક બન્યો છે. આવા 74 એકમોની તપાસ દરમિયાન 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. તપાસ દરમિયાન ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળી કુલ 56 લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : VIDEO : 'ગેટ આઉટ, ગેટ આઉટ' ઘાટલોડિયાની IDP સ્કૂલને 'પાવર ચડ્યો'વાલીનું અપમાન કર્યું

શું કહ્યું જીતુ વાઘાણીએ ?

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની મહેનત અને વિશ્વાસ સાથે કોઈ પણ પ્રકારનો ખેલખલેલ ચલાવી લેવામાં આવશે નહીં. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને કૃષિ સામગ્રી મળી રહે તે માટે સરકાર સતત દેખરેખ રાખી રહી છે. ગેરરીતિમાં સંડોવાયેલા તત્વો સામે પીબીએમ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Seed fraud Agriculture Minister
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ