બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:50 AM, 20 February 2026
Madhyapradesh News: મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે સિહોરાના આઝાદ ચોક વિસ્તારમાં સ્થિત દુર્ગા મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ અચાનક તણાવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આરતી ચાલી રહી હતી ત્યારે એક યુવક મંદિરમાં ઘૂસી ગયો અને ગ્રીલને નુકસાન પહોંચાડ્યાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી સ્થળ પર હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો અને થોડા જ સમયમાં બે જૂથો આમને-સામને આવી ગયા હતા.
ADVERTISEMENT
વિવાદ ઝડપથી ઉગ્ર બનતાં બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. કેટલાક લોકો લાકડીઓ સાથે પણ સ્થળ પર પહોંચી ગયા હોવાની માહિતી છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અને પરિસ્થિતિ વધુ વણસી રહી હોવાનું જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે આઝાદ ચોક વિસ્તાર અગાઉથી જ સંવેદનશીલ ગણાય છે કારણ કે મંદિર અને મસ્જિદ સામસામે આવેલાં છે.
માહિતી મળતાં જ સિહોરા પોલીસ સ્ટેશન સહિત નજીકના પોલીસ સ્ટેશનમાંથી વધારાના લોકોને બોલવવામાં આવ્યા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે છતાં સુરક્ષાની દૃષ્ટિએ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સતત નજર રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘટના અંગે સ્થાનિક જનપ્રતિનિધિઓએ પણ પોલીસ સાથે ચર્ચા કરી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. વહીવટી તંત્રએ નાગરિકોને શાંતિ અને સંયમ જાળવવાની અપીલ કરી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે અને ઘટનાની હકીકત બહાર લાવવા પ્રયાસ કરી રહી છે. જેથી વિસ્તારમાં ફરી શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થઈ શકે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.