બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:34 AM, 10 April 2026
India US Trade: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંબંધોને લઈને મહત્વપૂર્ણ હલચલ શરૂ થઈ છે. એપ્રિલના અંતમાં બંને દેશો વચ્ચે નવી વાટાઘાટો યોજાવાની છે. જેનાથી વેપાર સંબંધોને નવી દિશા મળશે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરારને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ વાટાઘાટો શરૂ થવા જઈ રહી છે. અમેરિકાની તરફથી જાહેરાત કરવામાં આવી છે કે એપ્રિલ મહિનાના અંતમાં ભારતનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન જશે. જ્યાં બંને દેશો વચ્ચે વેપાર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને નવી તકો શોધવાનો છે. પહેલા પણ ફેબ્રુઆરી મહિનામાં બંને દેશોએ એક પ્રાથમિક માળખા પર સહમતિ દર્શાવી હતી, હવે તેને આગળ વધારવા માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારત અને અમેરિકા બંનેએ મળીને દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ દિશામાં આગળ વધવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ વોશિંગ્ટનમાં “ભારત-અમેરિકા વેપાર સુવિધા પોર્ટલ” લોન્ચ કરવામાં આવ્યું હતું. જે વેપાર પ્રક્રિયાઓને સરળ બનાવવામાં મદદરૂપ બનશે. આ પોર્ટલ દ્વારા બંને દેશો વચ્ચે બજારમાં પ્રવેશ સરળ બનશે અને પુરવઠા શ્રેણીઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. સાથે સાથે, બિન-ટેરિફ અવરોધો ઘટાડવા અને વ્યાપારિક સહયોગ વધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ વાટાઘાટો દરમિયાન ઊર્જા, ટેકનોલોજી, માળખાગત વિકાસ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. અમેરિકામાં ભારતના રાજદૂતે અનેક વરિષ્ઠ અમેરિકી અધિકારીઓ સાથે મુલાકાત કરીને આ વિષયો પર વિચારવિમર્શ કર્યો છે. આ બેઠકઓમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ચર્ચાઓથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં વધુ ગાઢતા આવશે અને વૈશ્વિક સ્તરે બંને દેશોની સ્થિતિ વધુ મજબૂત બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.