બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:58 PM, 8 July 2025
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવખત રાષ્ટ્રપિત દ્રોપદી મુર્મૂ વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે. જી હાં ભાજપનો આરોપ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા છે. ભાજપે કહ્યું કે આ કોંગ્રેસનો આદિવાસી વિરોધી ચહેરો દર્શાવે છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પણ અપમાન કર્યું હતું. દરેક વ્યક્તિ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પાર્ટીની નિંદા કરી રહી છે. તમે રાષ્ટ્રપતિને કોઈ પણ આદર વિના 'મુર્માજી' કહીને સંબોધો છો અને પછી અંતે તેમને ભૂમિ માફિયા કહો છો. આખો દેશ જાણે છે કે જો દેશમાં કોઈ ભૂમિ માફિયા છે તો તે નકલી ગાંધી પરિવાર છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ગૌરવ ભાટિયાએ કહ્યું કે, મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મુર્માજી કહે છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કોવિડ કહે છે. ખડગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લેન્ડ માફિયા કહે છે, કહે છે કે તે આપણી જમીન અને જંગલો છીનવી લેવા માટે રાષ્ટ્રપતિ બની છે. રાહુલ ગાંધીના ઇશારે રિમોટ કંટ્રોલથી ચાલતા રાષ્ટ્રપતિ મલ્લિકાર્જુન ખડગે આદિવાસી વિરોધી, દલિત વિરોધી, મહિલા વિરોધી અને બંધારણ વિરોધી નિવેદનો આપી રહ્યા છે.
#WATCH | Delhi: BJP National Spokesperson Gaurav Bhatia says, "Udit Raj said that no country should get a President like Droupadi Murmu...Adhir Chowdhury addressed the President as 'Rashtrapatni'. It was such a derogatory remark toward a tribal woman...The Congress leaders… pic.twitter.com/CjI6cuxnZy
— ANI (@ANI) July 8, 2025
ADVERTISEMENT
ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, ઉદિત રાજ કહે છે કે કોઈ પણ દેશને દ્રૌપદી મુર્મુ જેવી રાષ્ટ્રપતિ મળવી જોઈએ નહીં. અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કહીને સંબોધે છે. આ આદિવાસી મહિલા વિરુદ્ધ ખૂબ જ વાંધાજનક ટિપ્પણી છે. કોંગ્રેસના નેતાઓને લાગે છે કે દેશમાં ફક્ત નકલી ગાંધી પરિવારના સભ્યો જ બંધારણીય પદો સંભાળી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ જેની સામે પરમાણુ એટેક પણ ફેઇલ! રડાર પણ ના પકડી શકે, આ દેશ ભારત સાથે મોટી ડીલની તૈયારીમાં
અજય કુમાર કહે છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ખરાબ માનસિકતા દર્શાવે છે. મલ્લિકાર્જુન ખડગેનું આજનું વાંધાજનક નિવેદન એ વાતનો પુરાવો છે કે તે જીભની લપસી નહોતી. તે જાણી જોઈને કરવામાં આવ્યું હતું. અમે મલ્લિકાર્જુન ખડગે પાસેથી માંગ કરીએ છીએ કે તેમણે તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.