બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભાગેડુ મેહુલ ચોક્સીના ગુનાઓનો હવે થશે હિસાબ, બેલ્જિયમ કોર્ટે આપી ભારત લાવવાની મંજૂરી

કાર્યવાહી / ભાગેડુ મેહુલ ચોક્સીના ગુનાઓનો હવે થશે હિસાબ, બેલ્જિયમ કોર્ટે આપી ભારત લાવવાની મંજૂરી

Priykant Shrimali

Last Updated: 12:09 PM, 22 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehul Choksi : કોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં જણાવાયું છે કે, ચોક્સી બેલ્જિયમનો નાગરિક નથી, પરંતુ એક વિદેશી નાગરિક છે અને ભારતમાં તેના પર થયેલા આરોપો ગંભીર ગુનાહિત... જાણો શું છે સમગ્ર મામલો ?

Mehul Choksi : ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી ટૂંક સમયમાં ભારત પરત આવી શકે છે. એન્ટવર્પ સ્થિત બેલ્જિયમની એક કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે, જેને ભારત માટે એક મહત્વપૂર્ણ કાનૂની જીત તરીકે જોવામાં આવી રહી છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં જણાવાયું છે કે, ચોક્સી બેલ્જિયમનો નાગરિક નથી, પરંતુ એક વિદેશી નાગરિક છે અને ભારતમાં તેના પર થયેલા આરોપો ગંભીર ગુનાહિત સ્વભાવ ધરાવે છે.

હવે જાણો ચોક્સી પર કયા આરોપો છે?

બેલ્જિયમ કોર્ટના દસ્તાવેજો અનુસાર મેહુલ ચોક્સી પર છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને બનાવટી દસ્તાવેજોના ગુનાઓના ગંભીર આરોપો છે. આ બધા ગુનાઓ ભારતના નાણાકીય તથા કાનૂની ધોરણો મુજબ ખૂબ ગંભીર ગણાય છે. 2018માં પંજાબ નેશનલ બેંક (PNB) લોન કૌભાંડ સામે આવ્યો હતો જેમાં ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ આશરે ₹13,000 કરોડનું બેંક કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ ચોક્સી ભારત છોડીને ભાગી ગયો હતો. હાલમાં નીરવ મોદી યૂનાઈટેડ કિંગડમની જેલમાં છે અને તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પણ ચાલી રહી છે.

ચોક્સીની દલીલો અનુત્તર રહી ગઈ

પ્રત્યાર્પણ રોકાવવા માટે ચોક્સી દ્વારા રજૂ કરાયેલા તમામ યત્નો બેલ્જિયમ કોર્ટમાં નિષ્ફળ રહ્યા. ચોક્સીએ દલીલ આપી હતી કે તેના પરના કેસો રાજકીય બદલો, ધાર્મિક અથવા જાતીય ભેદભાવથી પ્રેરિત છે. આ દલીલને કોર્ટે પાયાવિહોણી ગણાવી અને સ્પષ્ટ કહ્યું કે, આ કેસ રાજકીય, ધાર્મિક કે વંશીય રીતે પ્રેરિત નથી. આરોપો સાવજનીક નાણાંની છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા છે. તેમજ ચોક્સી દ્વારા કરવામાં આવેલા અપહરણ અને ત્રાસના આરોપોને પણ પૂરાવાની અછતના આધારે ફગાવી દેવામાં આવ્યા.

આ પણ વાંચો : VIDEO : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હેલિકોપ્ટરને થયો એક્સિડન્ટ, વીડિયોમાં સામે આવ્યું ખૌફનાક દ્રશ્ય

પ્રત્યાર્પણ પ્રક્રિયામાં આગળનું પગલું

બેલ્જિયમ કોર્ટના આ નિર્ણય બાદ, ભારતીય વિદેશ મંત્રાલય અને કેન્દ્રની તપાસ એજન્સીઓએ ચોક્સીનું ભારત પ્રત્યાર્પણ શક્ય તેટલી ઝડપથી થાય એ માટે તૈયારી શરૂ કરી છે. હવે માત્ર બેલ્જિયમ કોર્ટના આદેશની ઔપચારિકતાઓ પૂર્ણ થવી બાકી છે. ત્યારબાદ ચોક્સીની ભારત પાછી વળવાની તારીખ નક્કી કરવામાં આવશે. વિદેશ મંત્રાલય અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બેલ્જિયમના આ ચુકાદાને ન્યાય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. આ નિર્ણય માત્ર ચોક્સી જેવા ભાગેડુઓ માટે કડક સંદેશ છે નહિ, પણ તે ભારતની આંતરરાષ્ટ્રીય કાનૂની લડાઈમાં મજબૂતી દર્શાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehul Choksi Mehul Choksi Extradition Belgium Court
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ