બ્રેકિંગ ન્યુઝ
સમાજમાં અનેક ઘટનાઓ બને છે જેમાંથી કેટલીક ઘટનાઓ આપણને હચમચાવી મુકે છે. આવો જ એક કિસ્સો દીકરીના પિતા સાથે બન્યો હતો. ખુશી ખુશી બજારમાં ગયેલા પિતા સાથે એવું બન્યું કે તમે કલ્પના પણ ન કરી શકો. કિસ્સો સાંભળીને પગ નીચેથી જમીન ખસકી જશે.
ADVERTISEMENT
પિતાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું
ઘટનાના અહેવાલ મુજબ બન્યું એવું કે, દીકરીની સગાઈ પહેલા પિતા શાકભાજી ખરીદવા માર્કેટ ગયા હતા. જ્યાં કાળનો ભેટો થતાં 20 જ સેકેન્ડમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. તેના પર એક, બે નહીં પણ ત્રણ ટ્રક ફરી વળ્યા હતા. આ કિસ્સો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બન્યો હતો.
ADVERTISEMENT

દેવેન્દ્ર જાટવને ટ્રકે કચડી નાખ્યા
ADVERTISEMENT
શહેરના નવગ્રહ કોલોનીમાં રહેતા દેવેન્દ્ર જાટવ (45) રવિવાર (14 જુલાઈ) મોડી રાત્રે વિસ્તારની બંધ હોટલની સામે શાકભાજી ખરીદવા માટે નીકળ્યા હતા. રસ્તા પર ચાલી રહ્યા હતા ત્યારે પહેલા ટ્રકે તેમને ટક્કર મારી હતી, જેના કારણે તેઓ રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા બીજા અને ત્રીજા ટ્રકે પણ તેમને કચડી નાખ્યા હતા.
વધુ વાંચો : કેમ વધી રહ્યું છે Wife Swapping?,ભારતમાં પણ ફેલાયો પત્નીની અદલાબદલીનો રોગ!
ADVERTISEMENT
ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
દેવેન્દ્ર જાટવને ત્રણ બાળકોમાં બે પુત્રીઓ અને એક પુત્ર હતો. તેમની મોટી પુત્રીની સગાઈ 15 જુલાઈના રોજ થવાની હતી. આ ઘટના બાદ પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. રસ્તા પર ભારે વાહનોના ચાલકોની બેદરકારીએ ફરી એકવાર લોકોના જીવ ગુમાવ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ અંગે શું કડક પગલાં લે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.