બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:45 AM, 24 July 2025
કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) ને વધુ પારદર્શક, સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે બુધવારે હાલના પીડીએસ નિયમોમાં કેટલાક સુધારા કર્યા છે અને દર પાંચ વર્ષે બધા રેશનકાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રોનિક રીતે e-KYC પ્રક્રિયા ફરજિયાત બનાવી છે.
ADVERTISEMENT
આ નિર્ણયનો ઉદ્દેશ્ય રાશન વિતરણ વ્યવસ્થામાં છેતરપિંડી થતી અટકાવવા, ડુપ્લિકેટ કાર્ડ બનતા અટકાવવા અને સબસિડી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે.
શું છે નવા નિયમો?
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે બુધવારે એક સત્તાવાર સૂચના બહાર પાડી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (TPDS) સુધારા આદેશ, 2025 હેઠળ, પારદર્શિતા વધારવા, ડુપ્લિકેશન અટકાવવા અને સબસિડી યોગ્ય લોકો સુધીપહોંચાડવા માટે પીડીએસમાં નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
આ અંતર્ગત, રાજ્ય સરકારએ દર પાંચ વર્ષે બધા પાત્ર પરિવારો માટે e-KYC પ્રક્રિયા ફરજિયાતપણે કરી છે. આ પ્રક્રિયામાં, લાભાર્થીઓની યાદીમાંથી અયોગ્ય નામોને દૂર કરવામાં આવશે અને નવા પાત્ર પરિવારોનો સમાવેશ કરવામાં આવશે.
ADVERTISEMENT

ઈ-કેવાયસી પ્રક્રિયા શું છે?
ADVERTISEMENT
e-KYC એ એક ડિજિટલ વેરિફિકેશન પ્રક્રિયા છે, જેમાં રેશનકાર્ડ ધારકોએ આધાર કાર્ડ દ્વારા તેમની ઓળખ પુરવાર કરવાની હોય છે. આ પ્રક્રિયા આધાર-આધારિત બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અથવા આંખ સ્કેન અથવા વન-ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા પૂર્ણ કરી શકાય છે.
આધાર ઓથેન્ટિકેશન પછી, લાભાર્થીનું નામ, જન્મ તારીખ, સરનામું, લિંગ અને ફોટો જેવી મૂળભૂત માહિતી રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગને ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા પૂરી પાડવામાં આવશે. લાભાર્થીની ઓળખની પુષ્ટિ કરવા માટે આ ડેટાને પીડીએસ ડેટાબેઝ સાથે મેચ કરવામાં આવશે.
ADVERTISEMENT
પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?
રેશનકાર્ડ ધારકો તેમની e-KYC પ્રક્રિયા ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે પૂર્ણ કરી શકે છે.
ઓનલાઈન પ્રક્રિયા:
ઑફલાઇન પ્રક્રિયા :
વધુ વાંચો : બિહારથી મળી શકે આગામી ઉપરાષ્ટ્રપતિ! જેપી નડ્ડા આ સાંસદ સાથે મુલાકાત કરતા ચર્ચા તેજ
આ કેમ મહત્વનું છે?
ઈ-કેવાયસી પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ્ય રાશન વિતરણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનો છે. આ પ્રક્રિયા નકલી અને અયોગ્ય લાભાર્થીઓને દૂર કરવામાં મદદ કરે છે, જેથી સબસિડી ફક્ત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. સરકારનો દાવો છે કે ડિજિટલ વેરિફિકેશન અને આધાર લિંકિંગથી છેતરપિંડી અટકાવીને લગભગ 40 બિલિયન ડોલરની બચત થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Ketan Agarwal Murder Case / કેતનની હત્યા પછી ડિલીટ કરી Chat હિસ્ટ્રી અને ક્લીન કર્યું Recycle Bin
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.