બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:36 AM, 24 July 2025
Vice President Candidate: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તેમની નાદુરસ્ત તબિયતને લીધે તેમના પદ પરથી અચાનક રાજીનામું ઘણીબધી અટકળો અને ચર્ચાઓને વેગ મળ્યો છે. આ બધાની વચ્ચે મુખ્ય પ્રશ્ન એ છે કે ધનખડ પછી હવે આ પદ કોણ સંભાળશે અને કોના માથે આ જવાબદારી આવશે. ભાજપે નવા ઉમેદવારની શોધ ચાલુ કરી દીધી છે અને ઘણા મોટા નામ આ લિસ્ટમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે એવી પણ ચર્ચા છે કે ઘણા મોટા નેતાઓ એકબીજાની મુલાકત લેવા લાગ્યા છે.
ADVERTISEMENT
જેપી નડ્ડા રામનાથ ઠાકુરને મળ્યા
જગદીપ ધનખડના રાજીનામા પછી હવે આગામી ઉપરાષ્ટ્રપતિ માટે સંભવિત નામોની ચર્ચા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં આવા ઘણા એવા સમીકરણો રચાયા છે કે જેણે નવી અટકળોને વેગ આપ્યો છે. આ બધી ચર્ચા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ બિહારનો હોઈ શકે છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે એવી માહિતી સામે આવી છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગઈકાલે બુધવારે 23 જુલાઈના રોજ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી અને જેડીયુ રાજ્યસભા સાંસદ રામ નાથ ઠાકુરને મળ્યા હતા.
ADVERTISEMENT

ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAનો ચહેરો હોઈ શકે છે રામનાથ ઠાકુર
ADVERTISEMENT
રામનાથ ઠાકુર બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરના પુત્ર છે. અને જયારે હવે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નવા ઉમેદવારની શોધ થઇ રહી છે ત્યારે તેમની જેપી નડ્ડા સાથેની તેમની મુલાકાત આ બધા વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સુત્રોનું માનીએ તો રામનાથ ઠાકુરને ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. કર્પૂરી ઠાકુરના વારસાને કારણે રામનાથ ઠાકુર બિહાર સહિત સમગ્ર દેશમાં એક મજબૂત સામાજિક ઓળખ ધરાવે છે. આ સાથે જ રામનાથ ઠાકુર PM નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નજીક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હજુ ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે તેમના પિતા કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

ADVERTISEMENT
હરિવંશ નારાયણનું નામ પણ લિસ્ટમાં
બીજી તરફ જગદીપ ધનખડના રાજીનામાના 24 કલાકની અંદર જ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે સંભવિત નામમાં તેમનું નામ પણ સૌથી આગળ છે. એપ્રિલ 2014માં JDU એ તેમને બિહારથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટ્યા હતા. આ પછી તેઓ 9 ઓગસ્ટ 2018ના રોજ અને પછી સપ્ટેમ્બર 2020માં રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે પ્રથમ વખત ચૂંટાયા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: PHOTOS: PM મોદી બ્રિટનના પ્રવાસે, લંડનમાં થયું ભવ્ય સ્વાગત

ADVERTISEMENT
ECI એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારી શરુ કરી
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ બુધવારે જણાવ્યું હતું કે જગદીપ ધનખડના અચાનક રાજીનામાના બે દિવસ પછી જ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે સંસદના બંને ગૃહોના સાંસદોની ચૂંટણી મંડળની રચના શરૂ કરી દીધી છે. ચૂંટાયેલા અને નામાંકિત બંને સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પાત્ર છે. ECI એ જણાવ્યું હતું કે તૈયારીઓ પૂરી થયા પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમની વહેલી તકે જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.