બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ઓપરેશન સિંદૂરના 6 શહીદોના નામ પહેલીવાર સત્તાવાર જાહેર, નેશનલ વોર મેમોરિયલના 'રોલ ઓફ ઓનર'માં સ્થાન મળ્યું
Last Updated: 07:45 AM, 27 June 2026
ભારત દ્વારા આતંકવાદ સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા ભારતીય સશસ્ત્ર દળોના 6 બહાદુર જવાનોના નામ પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ શહીદોના નામ નવી દિલ્હી સ્થિત નેશનલ વોર મેમોરિયલની વેબસાઇટના 'રોલ ઓફ ઓનર'માં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ વર્ષ 2025ના વિભાગમાં આવેલી 3D વોલ પર પણ તેમના નામ અંકિત કરીને દેશ માટે આપેલા સર્વોચ્ચ બલિદાનને સન્માન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઓપરેશન સિંદૂરની શરૂઆત 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કરવામાં આવી હતી. આ હુમલામાં આતંકીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી હતી, જેના કારણે સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિશાનાબંધ હુમલો કર્યો હતો. આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી હવાઈ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બંને દેશોની સેનાઓ સતત સતર્ક રહી હતી. આખરે 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના કેટલાક બહાદુર જવાનોએ દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
ADVERTISEMENT
હવે આ તમામ શહીદોને સત્તાવાર સન્માન આપતાં તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં લાન્સ નાયક દિનેશ કુમાર (5 ફિલ્ડ રેજીમેન્ટ)નું 7 મેના રોજ નિધન થયું હતું. એવિએટર મૂડ મુરલીનાયક (851 લાઈટ રેજીમેન્ટ) 9 મેના રોજ શહીદ થયા હતા. સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર, જેમને વાયુસેના પદકથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ 39 વિંગ સાથે જોડાયેલા હતા, તેઓ 10 મેના રોજ શહીદ થયા હતા.
ADVERTISEMENT
આ ઉપરાંત સૂબેદાર મેજર પવન કુમાર, જે હેડક્વાર્ટર 10 ઇન્ફન્ટ્રી બ્રિગેડમાં ફરજ બજાવતા હતા, તેઓ પણ 10 મેના રોજ દેશ માટે શહીદ થયા હતા. રાઈફલમેન સુનીલ કુમાર, જેમને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓ 4 જમ્મુ એન્ડ કાશ્મીર ઇન્ફન્ટ્રીમાં સેવા આપતા હતા, તેઓ પણ 10 મેના રોજ શહીદ થયા હતા. હવલદાર સુનિલકુમાર સિંહ, જે 237 વર્કશોપ કંપનીમાં ફરજ બજાવતા હતા, તેમનું 6 જૂનના રોજ નિધન થયું હતું.
આ પણ વાંચો : કેતનની હત્યા પછી ડિલીટ કરી Chat હિસ્ટ્રી અને ક્લીન કર્યું Recycle Bin
ADVERTISEMENT
દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા આ છ બહાદુર સપૂતોને નેશનલ વોર મેમોરિયલના 'રોલ ઓફ ઓનર'માં સ્થાન આપીને તેમની વીરતા અને બલિદાનને કાયમી સન્માન આપવામાં આવ્યું છે. તેમના નામ હવે દેશના ઇતિહાસમાં ગૌરવપૂર્વક નોંધાઈ ગયા છે અને આવનારી પેઢીઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.