બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEOS: ઇસ્કોનથી લઇને વૃંદાવન સુધી..., આજે ઠેર-ઠેર મંદિરોમાં ભક્તો કૃષ્ણ ભક્તિના રંગે રગાયા
Last Updated: 09:36 AM, 16 August 2025
સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવને જન્માષ્ટમી તરીકે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા અને લીલાભૂમિ વૃંદાવનમાં ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી છે. આ પાવન અવસરે લગભગ 10 લાખથી વધુ ભક્તો વૃંદાવન ખાતે ભક્તિમાં લીન જોવા મળ્યા છે.
ADVERTISEMENT
બાંકેબિહારી મંદિરમાં ઠાકુરજીના દર્શન માટે લાંબી લાઇનો લાગી ગઈ છે. મંદિરના દરવાજા સવારથી જ ભક્તો માટે ખુલ્લા મુકાઈ ગયા છે. ભક્તો “શ્રીકૃષ્ણગોવિંદ હરે મુરારી”ના નાદ સાથે ભગવાનના દર્શન માટે આતુર દેખાયા હતા.
જન્માષ્ટમી પર કૃષ્ણભક્તિના રંગે રંગાયું પશ્ચિમ બંગાળનું જગન્નાથ મંદિર#Janmashtami #jaggannathtemple #gujaratinews #vtvdigital pic.twitter.com/arpaR0oz0W
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2025
ADVERTISEMENT
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પિત થનારી વિશિષ્ટ પોશાક મથુરાના કારીગરોએ છેલ્લા છ મહિના તૈયાર કર્યા હતા. આ પોશાકમાં સોનાના તથા ચાંદીના તાંરા વપરાયા છે અને તેમાં ઈન્દ્રધનુષના સાતે રંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પોશાક ધારણ કર્યાબાદ ભગવાન શ્રીકૃષ્ણને એકદમ દિવ્ય અને અલૌકિક રૂપ મળ્યું છે.

ADVERTISEMENT
મંદિરના શણગારની વાત કરીએ તો, આ વર્ષે મંદિરને ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર સુશોભિત કરવામાં આવ્યો છે. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના વાસસ્થાન – ફૂલ બંગલા – ને સિંદૂરી રંગના ફૂલો થી સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. આ વિશિષ્ટ ફૂલો કોલકાતા અને બેંગલુરુમાંથી મંગાવવામાં આવ્યા છે. યાત્રાળુઓ માટે આ શણગાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વધુમાં વાંચો: કૃષ્ણ જન્મોત્સવની ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, દ્વારકા-ડાકોરમાં ભક્તોનું ઘોડાપુર
ADVERTISEMENT
આ ઉજવણીને સફળ બનાવવા માટે સ્થાનિક પોલીસ અને સ્વયંસેવક સંસ્થાઓ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ભક્તોની ભીડને પહોંચી વળવા માટે રસ્તાઓ પર ટ્રાફિકના વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. આવી ભવ્ય અને ભક્તિમય ઉજવણી વચ્ચે સમગ્ર મથુરા અને વૃંદાવન ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પવિત્ર અનુરણનમાં ગુંજી ઉઠ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.