બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સમુદ્રમાં ભારતની તાકાતમાં થયો ઐતિહાસિક વધારો, PM મોદીએ દેશને સમર્પિત કર્યા ત્રણ અદ્યતન યુદ્ધપોત
Last Updated: 10:58 AM, 21 June 2026
Indian Navy : ભારતીય નૌકાદળની શક્તિમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં આયોજિત વિશેષ સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને ત્રણ સ્વદેશી અદ્યતન યુદ્ધપોત સમર્પિત કર્યા. આ નવા યુદ્ધપોતોના સમાવેશ સાથે ભારતની દરિયાઈ સુરક્ષા, વ્યૂહાત્મક ક્ષમતા અને સમુદ્રી ક્ષેત્રમાં પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.
ADVERTISEMENT
કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં INS દુનાગિરી, INS અગ્રય અને INS સંશોધકને સત્તાવાર રીતે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યા. ત્રણેય યુદ્ધપોતોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાનું પ્રતિક માનવામાં આવે છે.
INS દુનાગિરી
ADVERTISEMENT
INS દુનાગિરી અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક હથિયાર પ્રણાલીઓ અને અત્યાધુનિક સેન્સર ટેક્નોલોજીથી સજ્જ આ યુદ્ધપોત ભારતીય નૌકાદળની હુમલાખોર અને રક્ષણાત્મક બંને ક્ષમતાઓમાં વધારો કરશે. બ્રહ્મોસ જેવી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને હવાઈ હુમલાથી બચાવ માટેની આધુનિક સિસ્ટમો તેને વિશેષ બનાવે છે.
હવે સમુદ્રમાં વધશે ભારતની તાકાત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
PM મોદીએ દેશને સમર્પિત કર્યા વધુ 3 યુદ્ધપોત
INS દુનાગિરી, INS અગ્રય અને INS સંશોધક થયા ભારતીય નૌકાદળમાં સામેલ
સમુદ્રી સુરક્ષા અને રણનીતિક ક્ષમતામાં થશે મોટો વધારો#IndianNavy #PMModi #Warships #INS #Defence #VTVDigital pic.twitter.com/bP7n1z8Rwu
ADVERTISEMENT
INS સંશોધક
INS સંશોધક હાઇડ્રોગ્રાફિક સર્વે માટે તૈયાર કરાયેલ વિશિષ્ટ જહાજ છે. દરિયાઈ વિસ્તારનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ, સમુદ્રના તળિયાની માહિતી એકત્રિત કરવી તેમજ વિવિધ સંરક્ષણ અને નાગરિક કાર્યો માટે જરૂરી ડેટા ઉપલબ્ધ કરાવવાનું તેનું મુખ્ય કાર્ય રહેશે. અદ્યતન સર્વે સાધનો અને સ્વચાલિત પાણીની અંદર કાર્યરત ટેક્નોલોજીથી સજ્જ આ જહાજ ભારતીય સમુદ્રી સંશોધન ક્ષેત્રને નવી દિશા આપશે.
ADVERTISEMENT
નૌકાદળને સમર્પિત થયા 3 અદ્યતન યુદ્ધપોત, કોલકાતાથી PM મોદીનો સંદેશ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
કોલકાતામાં યોજાયેલા ટ્રાઈ-કમિશનિંગ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને સંબોધન કર્યું. આ પ્રસંગે INS અગ્રય, INS દુનાગિરી અને INS સંશોધક*જેવા ત્રણ અદ્યતન સ્વદેશી યુદ્ધપોતોને સત્તાવાર રીતે નૌકાદળમાં… pic.twitter.com/etZJURJKAG
INS અગ્રય
ADVERTISEMENT
જ્યારે INS અગ્રયને પનડુબ્બી વિરોધી કામગીરી માટે વિશેષ રીતે વિકસાવવામાં આવ્યું છે. આ યુદ્ધપોત આધુનિક સોનાર સિસ્ટમ, ટોર્પીડો અને રૉકેટ લોન્ચરથી સજ્જ છે, જે દરિયાઈ સીમાઓમાં છુપાયેલા ખતરાઓને શોધી તેમને અસરકારક રીતે નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.
ભારતીય નૌકાદળને મોટી ભેટ, PM મોદીએ દેશને સમર્પિત કર્યા 3 યુદ્ધપોત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 21, 2026
પશ્ચિમ બંગાળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળને વધુ મજબૂત બનાવતા ત્રણ અદ્યતન યુદ્ધપોત દેશને સમર્પિત કર્યા છે. INS દુનાગિરી, INS અગ્રય અને INS સંશોધકના સમાવેશથી સમુદ્રી સુરક્ષા અને રણનીતિક ક્ષમતામાં… pic.twitter.com/na3WSwFCi5
ADVERTISEMENT
આ પણ વાંચો : 40ની ઉંમરે 20 વર્ષથી વધુ ફિટ બનવાનું લક્ષ્ય રાખો, કોલકાતાથી PM મોદીનો યોગ સંદેશ
નૌકાદળના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ત્રણેય યુદ્ધપોત ભારતની બ્લૂ-વોટર ઓપરેશન ક્ષમતા વધારશે, દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે અને હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની વ્યૂહાત્મક હાજરીને વધુ પ્રભાવશાળી બનાવશે. આ સાથે જ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાને પણ નવી ઊંચાઈ મળશે. ભારતીય નૌકાદળમાં આ ત્રણ નવા યુદ્ધપોતોના સમાવેશને દેશની સુરક્ષા અને સમુદ્રી શક્તિ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.