બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:57 PM, 15 April 2026
Jharkhand: ઝારખંડના ચાઇબાસામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે.
ADVERTISEMENT
ઝારખંડના ચાઇબાસાથી મોટા સમાચાર સામે આવ્યા છે. સારંડા જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં કોબ્રા બટાલિયનના પાંચ સૈનિકો ઘાયલ થયા છે.
Chaibasa (Jharkhand) encounter | Five jawans of CoBRA injured in an intense encounter with security forces and naxals in the forest of Saranda. All injured jawans are out of danger. Intermittent firing has stopped now but the search operation is underway: Michaelraj S, IG…
— ANI (@ANI) April 15, 2026
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર બધા સૈનિકો ખતરાની બહાર છે. આ ઘટના અંગે વરિષ્ઠ અધિકારીઓએ પણ નિવેદન જારી કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હવે વચ્ચે-વચ્ચે ગોળીબાર બંધ થઈ ગયો છે, પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
તાજેતરમાં છત્તીસગઢના બીજાપુરમાં 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું
ADVERTISEMENT
છત્તીસગઢના બીજાપુરમાં કુખ્યાત નક્સલી કમાન્ડર પાપા રાવ સહિત અઢાર નક્સલીઓએ તાજેતરમાં આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં 11 પુરુષ અને 7 મહિલા નક્સલીઓનો સમાવેશ થાય છે. તેમણે 8 એકે-47 અને અન્ય હથિયારો પણ સોંપ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / પ્રયાગરાજમાં ટ્રેન અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા પાંચ લોકોના મોત
પાપા રાવ સામે 45 કેસ નોંધાયેલા હતા અને તેની ઉંમર 55 થી 60 વર્ષની વચ્ચે હતી. તેઓ શાળા છોડીને નક્સલી ચળવળમાં જોડાયો હતો. 2010માં તાડમેટલામાં એક મોટો નક્સલી હુમલો થયો હતો, જેમાં 76 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલામાં પાપા રાવ પણ સામેલ હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.