બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદીએ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ, કહ્યું 'સ્વતંત્રતાનો આ મહાન પર્વ 140 સંકલ્પોનો ઉત્સવ'
Last Updated: 08:07 AM, 15 August 2025
Independence Day 2025 : આજે 79માં સ્વતંત્રતા દિવસને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહના માહોલ વચ્ચે આજે સવારે PM મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 12મા વર્ષે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
ADVERTISEMENT
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 12મી વખત ત્રિરંગો ફરકાવ્યો છે.
ADVERTISEMENT
દિલ્હી: ફ્લાઈંગ ઓફિસર રસિકા શર્માની હાજરી, PM મોદીએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો,#IndiaAt79 #15thAugust #15thaugust2025 #IndependenceDay #PmnarendraModi #vtvdigital pic.twitter.com/LeyZpv1CDt
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2025
આ મહાન પર્વ 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે: પીએમ મોદી
ADVERTISEMENT
લાલ કિલ્લાની પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યા બાદ પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે 140 કરોડ દેશવાસીઓ ત્રિરંગાના રંગોમાં રંગાયેલા છે. ભારતના દરેક ખૂણામાંથી, પછી તે રણ હોય કે હિમાલયના શિખરો, દરિયા કિનારા હોય કે ગીચ વસ્તીવાળા વિસ્તારો બધે જ ફક્ત એક જ ગુંજ છે, એક જ જ્ય્કારો છે - આપણી પ્રાણથી પણ પ્રિય માતૃભૂમિનું જયગાન છે.
આ પણ વાંચો : 1947ની 15મી ઓગસ્ટે ક્યાં હતા મહાત્મા ગાંધીજી? શું આઝાદીથી બાપુ ખુશ ન હોતા?
ADVERTISEMENT
આપણે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી: પીએમ મોદી
દેશને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે સ્વતંત્રતાનો તહેવાર સંકલ્પોનો તહેવાર છે. દેશ એકતાની ભાવનાને મજબૂત બનાવી રહ્યો છે. બંધારણ દીવાદાંડી બનીને દેશને પ્રકાશ આપી રહ્યું છે. આ સામૂહિક સિદ્ધિઓનો તહેવાર છે. આજે લાલ કિલ્લા પર ઘણા ખાસ મહાનુભાવો હાજર છે. આપણે કલમ 370 ની દિવાલ તોડીને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.