બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:33 PM, 2 July 2025
ચોમાસુ સત્રમાં 23 દિવસ સુધી સંસદમાં ઘણા મહત્વપૂર્ણ બિલો અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સાથે, સંસદના બંને ગૃહો ત્રણ મહિનાથી વધુ સમય પછી 21 જુલાઈથી શરૂ થશે. તમને જણાવી દઈએ કે સંસદનું બજેટ સત્ર આ વર્ષે 31 જાન્યુઆરીએ શરૂ થયું હતું. બંને ગૃહોને 4 એપ્રિલે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
The Hon’ble President of India has approved the proposal of the Government to convene the Monsoon Session of Parliament from 21st July to 21st August, 2025. In view of the Independence Day celebrations, there will be no sittings on the 13th and 14th of August. pic.twitter.com/ReWs8T7Czk
— Kiren Rijiju (@KirenRijiju) July 2, 2025
કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ ચોમાસુ સત્ર પહેલું સંસદીય સત્ર હશે, જેમાં 26 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. વિપક્ષી નેતાઓએ ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા માટે ટૂંક સમયમાં ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ બંને મુદ્દાઓ પર સત્રમાં ગરમાગરમ ચર્ચા થવાની અપેક્ષા છે.
વધુ વાંચો: હું એક કમ્યુનિસ્ટ પાગલને ન્યૂયોર્ક બરબાદ નહી કરવા દઉ, ટ્રમ્પનો મમદાની પર તીખો હુમલો
ADVERTISEMENT
વિરોધ પક્ષોએ ઓપરેશન સિંદૂર અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ખાસ ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, "પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ છે. સંસદમાં આના પર ખુલ્લી ચર્ચા થવી જોઈએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.