ગત વર્ષે કેન્દ્રની મોદી સરકારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL)માં પોતાની ભાગીદારી વેચવાનું એલાન કર્યું હતું. તાજા ઘટનાક્રમમાં સરકારની તરફથી હરાજી એટલે કે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રસ્ટ (EoI) આમંત્રિત કરવામાં આવી છે.
મોદી સરકારે ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડમાં પોતાની ભાગીદારી વેચશે
બીપીસીએલમાં ભાગીદારી ખરીદવા માટે રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ આપવો પડશે
તેનો અર્થ એ છે કે બીપીસીએલમાં ભાગીદારી ખરીદવા માટે રોકાણકારોએ એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટ આપવો પડશે. તેનાથી એ જાણવા મળે છે કે કઇ-કઇ કંપનીઓ અથવા રોકાણકારો હરાજી માટે ઇચ્છુક છે.
આ હરાજી બે સ્તરે હશે, જેમા પહેલા એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રેસ્ટમાં યોગ્ય જાણવા મળેલી કંપનીઓને બીજા રાઉન્ડમાં હરાજી લગાવવા માટે કહેવામાં આવશે. તેમા પબ્લિક સેક્ટરની કંપનીઓ ભાગ નહીં લઇ શકે. સરકાર ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL) માં પોતાની કુલ 52.98 ટકા ભાગીદારી વેચવા જઇ રહી છે.
જો શૅરના હિસાબે વાત કરવામાં આવે તો સરકાર પોતાના કુલ 114.91 કરોડ ઇક્વિટી શૅર વેચશે. હાલ તો BPCLનું માર્કેટ કેપ 87.388.35 કરોડ રૂપિયા છે. જ્યારે સરકારે 2020-21 માં વિનિવેશથી 2.1 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે.