બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / MODI government to introduce a bill for ias ips officers appointment and calling delhi
Mayur
Last Updated: 09:35 AM, 22 January 2022
PM મોદી અને તેમના મંત્રીઓ સતત નવા નવા કાયદાઓ રજૂ કરી રહ્યા છે તો જૂનામાં કેટલાક ફેરફારો પણ કરી રહ્યા છે. વધુ એક કાયદો આવી શકે છે કે જે મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર સરકારને આમને સામને લાવી દેશે.
1 જાન્યુઆરી 2021 સુધી દેશમાં કુલ 5200 IAS અધિકારી હતા, જેમાંથી 458 કેન્દ્રમાં નિયુક્ત હતા
મોદી સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે એક IAS અધિકારીની નિયુક્તિ અંગે વિવાદ સર્જાયો હતો.
બંગાળના IAS અધિકારી અલપન બંદ્યોપાધ્યાયને મોદી સરકારે તેમના રિટાયરમેન્ટના અંતિમ દિવસે કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ અલપને એમ કર્યુ ન્હોતું અને મમતા બેનરજીએ તેમને રિલીવ પણ નહોતા કર્યા.
બાદમાં એવું બન્યું હતું કે અલપને રિટાયરમેન્ટ તો લઈ લીધું પણ તેઓ મમતાના મુખ્ય સલાહકાર બની ગયા.
IAS IPS ની નિયુક્તિના નિયમોમાં ફેરફાર
હવે મોદી સરકાર IASની નિયુક્તિના નિયમોમાં પણ એવા ફેરફાર કરવા જઈ રહી છે કે મમતા કે કોઈપણ રાજ્ય કેન્દ્રના બોલાવ્યા પછી કોઈપણ IAS અધિકારીને દિલ્હી મોકલવાનો ઈનકાર નહીં કરી શકે.
બજેટ સત્રમાં રજૂ થઇ શકે છે અમેન્ડમેન્ટ
એવું મનાય છે કે કેન્દ્ર સરકાર 31 જાન્યુઆરીથી શરૂ થનારા સંસદના બજેટ સત્રમાં આ સંશોધન રજૂ કરી શકે છે.
જો કે અગાઉથી જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ પ્રસ્તાવિત સંશોધન અંગે નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુ પણ આનો વિરોધ કરી રહ્યા છે.
IASની નિયુક્તિમાં કેન્દ્રનો દબદબો વધશે
એવું મનાય છે કે જો આ નિયમ પસાર થશે તો IAS અને IPS અધિકારીઓની કેન્દ્રમાં નિયુક્તિના મામલે સંપૂર્ણ તાકાત કેન્દ્ર સરકારના હાથમાં જતી રહેશે અને એમ કરવા માટે તેને રાજ્ય સરકારની સહમતિ લેવાની જરૂર નહીં રહે.
આ જ કારણ છે કે બંગાળ તમિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.
હાલના નિયમો અનુસાર, રાજ્યોએ કેન્દ્ર સરકારના કાર્યાલયોમાં ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ સહિત IAS અધિકારીઓની નિયુક્તિ કરવાની હોય છે અને કોઈપણ સમયે આ કુલ કેડરની સંખ્યાને 40%થી વધુ ન હોઈ શકે.
આ ચાર ફેરફારો થઈ શકે છે .
1. કેન્દ્ર રાજ્યના પરામર્શથી કેન્દ્ર સરકારમાં નિયુક્ત કરવામાં આવનારા IAS અધિકારીઓની સંખ્યા નક્કી કરશે અને પછી રાજ્ય એવા અધિકારીઓનાં નામોને પાત્ર બનાવશે.
2. જો રાજ્ય સરકાર IAS અધિકારીને કેન્દ્રમાં મોકલવામાં વિલંબ કરે અને નિશ્ચિત સમયમાં નિર્ણય લાગુ ન કરે તો અધિકારીને કેન્દ્ર સરકાર દ્વારા નિશ્ચિત તારીખથી રાજ્ય કેડરથી રિલીવ કરી દેવાશે. અત્યારે IAS અધિકારીઓને કેન્દ્રમાં નિયુક્તિ માટે રાજ્ય સરકારથી NOC લેવાની હોય છે.
3. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈપણ અસહમતિના કિસ્સામાં, નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને રાજ્ય કેન્દ્રના નિર્ણયને એક નિશ્ચિત સમયની અંદર લાગુ કરશે.
4. ખાસ સ્થિતિમાં જ્યાં કેન્દ્ર સરકારને જનહિતમાં કેડર અધિકારીઓની સેવાઓની જરૂર હોય છે, રાજ્ય પોતાના નિર્ણયોને એક નિશ્ચિત સમયની અંદર અમલી કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા