બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સંસદની એક સમિતિએ એડલ્ટરિ એટલે કે વ્યભિચાર તથા અપ્રાકૃતિક શારીરિક સંબંધને અપરાધની શ્રેણીમાં રાખવા ભલામણ કરી હતી, જોકે સરકારે તેનો સ્વીકાર કર્યો હતો.
ભારતમાં સમલૈંગિક સંબંધો ( અપ્રાકૃતિક સંબંધ ) તથા વ્યભિચાર ( એડલ્ટરિ ) અપરાધ નથી. સરકારે નવા સંશોધન સાથે ભારતીય ન્યાય સંહિતા ખરડો સંસદ મૂક્યો છે. આ ખરડામાં મોદી સરકારે સંસદીય સમિતિની ભલામણની જગ્યાએ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને મહત્વ આપ્યું છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટે ખતમ કર્યા હતા કાયદા
સુપ્રીમ કોર્ટે ધારા 377 તથા ધારા 497ને ખતમ કરી દીધી હતી, કેન્દ્ર સરકારે મૂકેલા ખરડામાં પણ આ બંને ધારાને બહાર રાખવામાં આવી છે. ધારા 377 અપ્રાકૃતિક સંબંધ જ્યારે ધારા 497 એડલ્ટરિ સાથે સંકળાયેલી છે. વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં વ્યભિચાર એટલે કે એડલ્ટરિને અપરાધની શ્રેણીમાંથી બહાર કરી દીધું હતું, ભારતમાં એડલ્ટરીના આધારે ઘણા બધા છૂટાછેડા થતાં હતા. વ્યભિચાર કે એડલ્ટરિનો અર્થ થાય છે કે પતિ અને પત્ની દ્વારકા કોઈ અન્ય સાથે સંબંધ રાખવો.
2018માં જ સુપ્રીમ કોર્ટે સમલૈંગિક કપલ વચ્ચે સહમતીથી સેક્સને પણ અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટથી સહમત નહોતી પાર્લામેન્ટ્રી કમિટી
જોકે સંસદીય સમિતિએ સુપ્રીમ કોર્ટ સાથે અસહમતી દર્શાવાઈ હતી. ગૃહ મામલાઓની સ્થાયી સંસદીય સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી બંને ધારાઓને રાખવામાં આવે. સરળ શબ્દોમાં કહીએ તો ભારતમાં સમલૈંગિક સંબંધ અને એડલ્ટરિ ગેરકાયદેસર ગણાશે નહીં.
બ્રિજલાલની અધ્યક્ષતા વાળી સંસદીય સમિતિએ ચોથી ડિસેમ્બરે સંસદમાં રિપોર્ટ રજૂ કરીને ભલામણ કરી હતી કે ધારા 377ને ફરીથી જોડી દેવામાં આવે. કમિટીએ એમ પણ કહ્યું કે ભારતીય સમાજમાં વિવાહ એક પવિત્ર સંબંધ છે એવામાં પવિત્રતાને જાળવી રાખવા માટે વ્યભિચાર ન થવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.