ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકારે કમર કસી લીધી છે. ઘણા બધા વેપારીઓ દ્વારા અવારનવાર અલગ અલગ રીતે છેતરપીંડી કરવામાં આવે છે એવામાં કેન્દ્ર સરકાર નવો કાયદો લાવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર Consumer Protection Act-2019ને 20મી જુલાઈએ લાગુ કરી શકાય છે.
સરકારના ઉચ્ચ અધિકારીઓએ મીડિયાને જાણકારી આપી કે મોદી સરકાર 20મી જુલાઈથી આ કાયદો દેશમાં લાગુ કરવા જઈ રહી છે. આ કાયદો લાગુ પડવાથી ગ્રાહકોના હિતોની રક્ષા કરવા માટે અમુક નવા એવા નિયમો લાગુ પડશે જે જૂના કાયદામાં નથી.
નવા કાયદામાં ગ્રાહકોને ભ્રામક વિજ્ઞાપન દર્શાવવા પર કાર્યવાહી કરવામાં આવશે
ગ્રાહક દેશના કોઈ પણ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકશે
નવા કાયદામાં Online અને Teleshoppingને પણ સામેલ કરી દેવામાં આવશે
ખાણીપીણીની ચીજોમાં ભેળસેળ કરનાર કંપનીઓ પર દંડ અને જેલની સજાની જોગવાઈ
જાહેરહિતની અરજી પણ કન્ઝ્યુમર ફોરમમાં કરી શકાશે
કન્ઝ્યુમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ કરી શકાશે
નોંધનીય છે કે Consumer Protection Act-2019 લાંબા સમય પહેલા જ તૈયાર થઇ ગયો છે પરંતુ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે તે કાયદો લાગુ કરી શકાયો નહીં. આવતા અઠવાડિયે આ કાયદો લાગુ થઇ જાય તેની પ્રબળ સંભાવના છે.