બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Keshaji Chauhan's statement regarding water issue in Banaskantha
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. ત્યારે આ પ્રશ્નને લઈને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે બાંયો ચઢાવી છે. કેશાજી ચૌહાણે જણાવ્યું છે કે, 'જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યા સુધીનું હું કોઇ સન્માન નહીં સ્વીકારું.'
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતમાં બચ્યું છે માત્ર 11 ટકા ભૂગર્ભ જળઃ કેશાજી ચૌહાણ
દિયોદર સામુહિક આરોગ્ય કેન્દ્રના ભૂમિપૂજન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મોટો પ્રશ્ન ભૂગર્ભના જળનો છે. ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળ માત્ર 11 ટકા બચ્યું છે. ઉત્તર ગુજરાતમાં 89% ભૂગર્ભ જળ વપરાઈ ગયું છે. એટલે કે 89 ટકા અંદરનું પાણી આપણે વાપરી ચૂક્યા છીએ. આપણી જિંદગી તો કદાચ પૂરી થઈ જશે, પણ ભવિષ્યમાં શું થશે. જો આની ચિંતા અત્યારથી નહીં કરીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી મુશ્કેલી ઉભી થશે.

ADVERTISEMENT
'નદી કે નહેરનું પાણી લાવવું અઘરું'
તેમણે જણાવ્યું કે, આપણો વિસ્તાર ભૌગોલિક રીતે એવો છે કે નર્મદા મુખ્ય કેનાલથી, નર્મદા ડેમથી અને દરિયાની સપાટીથી ઊંચો ભાગ છે. એટલે કુદરતી લેવલથી કોઈ બીજી નદી કે નહેરનું પાણી લાવવું અઘરું છે. અમારે પમ્પિંગ કરીને જ પાણી લાવવું પડે એવી પરિસ્થિતિ છે. એટલે સરકારની પણ ખૂબ ઈચ્છા છે પાણી ક્ષેત્રે કંઈક કરવાની પણ હજુ સુધી આમાં જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે હજી દિશા મળતી નથી.

ADVERTISEMENT
કોઈ પણ કાર્યક્રમમાં સન્માન નહીં સ્વીકારુંઃ કેશાજી ચૌહાણ
સંકલ્પને લઈને કેશાજી ચૌહાણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ભૂગર્ભમાં જળ સિંચાઈના પાણી માટે આપણને ભગવાન માર્ગ ન દેખાડે ત્યાં સુધી મેં જાહેરમાં કોઈના ફૂલહાર ન સ્વીકારવાનો અને સાલ કે પાઘડી ન પહેરવાનો સંકલ્પ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.