બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એન્ટિબાયોટિકના વધારે પડતા ઉપયોગથી તેની અસરકારકતા ઘટી, બીમારી સામે પ્રતિકારનો રેશિયો 42% જેટલો નીચે આવ્યો
Last Updated: 09:40 AM, 23 November 2025
જો તમે ડોક્ટર ની સલાહ વગર શરદી તાવ કે માથાના દુખાવા માટે એન્ટિબાયોટિક દવા લો છો તો ચેતી જજો નહીં તો ભારે પડશે ..સર્વે મુજબ એન્ટિ બાયોટિક પ્રતિકાર 42% પર પહોંચ્યો છે જેના કારણે હવે ICU દાખલ દર્દી ને દવા અસર નથી કરી રહી ..
ADVERTISEMENT
ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 18 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ‘વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ’ની ઉજવણી ચાલી રહી છે. આનો મુખ્ય ઉદેશ્ય એન્ટિબાયોટિકનો ખોટો અને વધારે ઉપયોગ ન કરવાનો છે. રાજ્યમાં તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા ગુજરાત રાજ્ય એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ સર્વેલન્સ નેટવર્કના રિસર્ચમાં જાણવા મળ્યું કે, ઈ.કોલાઈ અને ક્લેબ્સિયેલા જેવા ખતરનાક બેક્ટેરિયામાં કાર્બાપેનેમ સામે 42% સુધી પ્રતિકાર વધી ગયો છે. એટલે કે ગંભીર દર્દીઓને બચાવવા માટે હવે કોઈ દવા કામ નહીં કરે. આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, એઝીથ્રોમાઇસીન , એમોક્સીસિલિન, સેફિકસીમ, મેટ્રોનીડાઝોલ અને ડોક્સીસાયક્લિન જેવી દવા દર્દીઓ વધુ લઈ રહ્યા છે. આ દવાઓ ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના લેવાથી નુકસાન થઈ શકે છે. અને જો ડૉક્ટર આ દવા લખે તો તેનો પૂરો કોર્સ લેવો જોઈએ. આપણી આદત છે કે બે-ત્રણ દિવસમાં તાવ ઓછો થાય એટલે દવા બંધ કરી દઈએ છીએ.
એક રિસર્ચ પ્રમાણે નાગરિકો એન્ટી બાયોટીક દવા ના આદિ બની ગયા છે ..જ્યારે પણ તાવ શરદી કે ખાંસી જેવી બીમારી થાય તો ડૉક્ટર ના પ્રિસ્કીપ્રસન્ન વગર જ એન્ટીબાયોટીક દવાનું સેવન કરી લેતા હોય છે જેના કારણે એન્ટી બાયોટીક પ્રતિકાર ઘટી જાય છે અને જ્યારે ગંભીર બીમારીમાં ICUમાં દાખલ થાય ત્યારે દવા તેમને અસર કરતી નથી ..
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે કચ્છની મુલાકાતે, 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
એઝીથ્રોમાઇસીન , એમોક્સીસિલિન , સેફિકસીમ , મેટ્રોનીડાઝોલ, ડોક્સીસાયક્લિન જેવી દવા દર્દીઓમાં વધુ લેવાઈ રહી છે ..આવી દવાઓ લોકો ડોક્ટરના પ્રસ્ક્રિપ્શન વગર જ લઈ રહ્યા છે. આ દવા લેતા પહેલા નાગરિકોએ ડોક્ટર પાસે જવું જરૂરી છે ..નાની બીમારીમાં એન્ટી બાયોટીક દવા લેવાનું દર્દીઓ એ ટાળવું જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.