બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ મંદિરમાં મુકવામાં આવેલ મૂર્તિની લોકો પૂજા અર્ચના કરે છે. પરંતુ મંદિરમાં પ્રવેશ માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં લોકોને કોરોના અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે.
#UttarPradesh | प्रतापगढ़ में गांव वालों ने बनाया कोरोना माता का मंदिर, मास्क लगी मूर्ति की स्थापना की।#CoronaSecondWave #Pratapgarh #MaskUp #ViralVideo pic.twitter.com/YHR6B8v2WB
— Nedrick News (@nedricknews) June 12, 2021
ADVERTISEMENT
મંદિરોમાં લખાયા લોકજાગૃતિ લાવતા સૂત્રો
ADVERTISEMENT
મંદિરોની દીવાલ પર દર્શન પહેલાં માસ્ક અવશ્ય પહેરો. હાથ ધુઓ અને દૂરથી દર્શન કરો તેવો સંદેશ લખવામાં આવ્યો છે. કોરોનાના સંક્રમણથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે ત્યારે પરેશાન લોકો મંદિરમાં આસ્થા સાથે દર્શન કરવા પણ આવી રહ્યા છે.
કોરોના માતાનું મંદિર
ADVERTISEMENT
શુકલપુરમાં ત્રણ જણાના મોત બાદ ગામના લોકો ડરી ગયા હતાં. ત્યારબાદ આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ ઓર્ડર આપી મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી અને તેને લીમડાના ઝાડ નીચે સ્થાપિત કરી. કોરોના માતાનુ મંદિર તેવું નામ આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT
નિષ્ણાતે આપ્યું મહત્વનું નિવેદન
ડો.એમ.પી.શર્મા, મનોચિકિત્સક, જિલ્લા હોસ્પિટલ, પ્રતાપગઢ કહે છે કે કોરોના માતાની મૂર્તિની સ્થાપના સાંસ્કૃતિક માન્યતાનું પરિણામ છે. આ મંદિરમાં વિજ્ઞાન અને વિશ્વાસ બંને સાથે કામ કરે છે. વિશ્વાસ સાથે પૂજા કરો, માસ્ક અને હાથ ધોવા વિશે વિજ્ઞાન શીખવવામાં આવી રહ્યું છે. વિશ્વાસ એ દેશનો પ્રભુત્વ છે, આવી સ્થિતિમાં લોકો દવાની સાથે સાથે પ્રાર્થના પણ કરી રહ્યા છે. જો લોકો એકઠા થઈ રહ્યા છે, તો પછી તેમને કોરોના પ્રોટોકોલ વિશે પણ શીખવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.