બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Bijal Vyas
Last Updated: 11:18 PM, 22 May 2023
Mango Kernels Health Benefits: ગરમીની સિઝનમાં કેરી ખાવી કોને પસંદ હોતી નથી. આ સિઝનમાં દરેક વ્યક્તિને કેરી ખાવી ગમે છે. સામાન્ય રીતે લોકો ફક્ત કેરી ખાય છે અને તેનો ગોડલાને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છે કે ફક્ત કેરી જ નહીં પરંતુ તેના ગોડલા પણ ખૂબ કામના છે. જી, હાં ગોટલામાં અનેક પ્રકારના ગુણધર્મો રહેલા છે, જેના વિશે જાણ્યા બાદ તમે ગોટલાને ફેંકવાનું બંધ કરી દેશો.
શું તમે જાણો છો કે આયુર્વેદમાં કેરીના ગોટલાને સૌથી સારી કારગર ઔષધિ માનવામાં આવે છે. આ ફક્ત પેટની જ તકલીફ નહીં પરંતુ ડાયરિયા અને બવાસીર જેવી બીમારીઓથી પણ છુટકારો અપાવી શકે છે. કેરીના ગોટલા શરીરની અનેક તકલીફો દૂર કરી શકે છે. તેને ફેંકવાના બદલે તમે તેનુ ચૂર્ણ બનાવીને રોજીંદા સેવન કરી શકો છો. કેરીના ગોટલામાં પોટેશિયમ, સોડિયમ, આયર્ન, કોપર, ઝિંક, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. આવો જાણીએ કેરીના ગોટલા ખાવાથી કઈ શારીરિક સમસ્યાઓ દૂર થઈ શકે છે?
કેરીના ગોટલાના ફાયદા
1. કેરીના ગોટલાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે.
2. જો તમે વારંવાર ડાયેરિયાની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેરીના ગોટલાનો પાવડર લઈ શકો છો.
3. કેરીના ગોટલા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે. તે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે.
4. પીરિયડ્સના દુખાવામાં પણ કેરીના ગોટલા ખૂબ જ ફાયદાકારક છે. જો તમને પીરિયડ્સ દરમિયાન ખૂબ દુખાવો થતો હોય તો કેરીના ગોટલામાંથી બનાવેલા પાવડરનું સેવન કરવાનું શરૂ કરો.
5. કેરીના ગોટલા હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને પણ રાહત આપે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરી શકે છે.
6. દાંતની મજબૂતી માટે કેરીના ગોટલાનું સેવન પણ કરી શકાય છે.
7. કેરીના ગોટલા ત્વચાની સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકે છે. જો તમે વારંવાર પિમ્પલ્સની સમસ્યાથી પરેશાન છો, તો તમે કેરીના ગોટલામાંથી બનાવેલું તેલ પિમ્પલ્સ પર લગાવી શકો છો.
8. તમે કેરીના ગોટલામાંથી બનાવેલા પાવડરમાંથી પેસ્ટ બનાવીને તમારા વાળમાં પણ લગાવી શકો છો. તેનાથી વાળ તો મજબુત થશે જ, પરંતુ ડેન્ડ્રફથી પણ છુટકારો મળશે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા