બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં આજે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જીવન મંગળમળ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જે ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક છે.
.jpg)
ADVERTISEMENT
શાસ્ત્રોમાં એવુ વર્ણન મળ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે લોકો આ દિવસે ઘર કે મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. જે હનુમાનજીની કૃપા મેળવવાની સૌથી સરળ રીત છે. કહેવાય છે કે શારીરિક કષ્ટ અને માનસિક વિકાસ દૂર થાય છે. મોટાભાગે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લોકો તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ પણ લગાવે છે.
મંગળવારના દિવસે હનુમાનજીને શું શું ચડાવશો?
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને બુંદીનો ભોગ ખૂબ જ પ્રિય છે. એવામાં જો કોઈ મંગળવારનું વ્રત કરે છે તો તેને આ દિવસે હનુમાન મંદિરમાં જઈને બુંદીનો ભોગ જરૂર લગાવવો જોઈએ. હનુમાનજીને મંગળવાના દિવસે બેસનના લાડવાનો પણ ભોગ લગાવવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. એવામાં તમે ઈચ્છો તો હનુમાનજીને સિંદૂર પણ ચડાવી શકો છો.
ADVERTISEMENT

જોકે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્ષ કરીને અર્પિત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટે તેમને ચોલા પણ ચડાવવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ગુલાબના ફૂલ અર્પિત કરવાથી પણ તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
મંગળવારના દિવસે જરૂર કરો આ 5 કામ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.