બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:31 AM, 3 November 2025
રવિવારે સાંજે જોધપુરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો. માટોડા નજીક એક ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ટ્રક વચ્ચે અકસ્મત થયો હતો. આ અકસ્માતમાં પંદરથી વધુ લોકોના મોત થયા. ફલોદીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ મૃત્યુની પુષ્ટિ કરી છે. પીડિતો કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પરત ફરી રહ્યા હતા. બધા મૃતકો જોધપુરના સુરસાગરના રહેવાસી હતા.
ADVERTISEMENT
ફલોદીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, "પંદર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. ત્રણ ઘાયલોને તાત્કાલિક ઓસિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુર રિફર કરવામાં આવ્યા ." ફલોદીના ડીએસપી અચલ સિંહ દેવડાએ જણાવ્યું હતું કે ટક્કરની અસર એટલી ગંભીર હતી કે ટેમ્પો ટ્રાવેલર સંપૂર્ણપણે તૂટી ગયું હતું.
ADVERTISEMENT
ટેમ્પો ટ્રાવેલરના ટુકડા થઈ ગયા
ટેમ્પો ટ્રાવેલરની સીટ અને ધાતુમાં ઘણા મૃતદેહો ખરાબ રીતે ફસાયેલા હતા, અને પોલીસ અને સ્થાનિકોને તેમને કાઢવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. ફલોદી પોલીસ સ્ટેશનના અધિકારી અમનરામે જણાવ્યું હતું કે, "બધા મૃતકો અને ઘાયલો જોધપુરના સુરસાગર વિસ્તારના રહેવાસી હતા. તેઓ કોલાયતની મુલાકાત લઈને તેમના પરિવારો સાથે પરત ફરી રહ્યા હતા." પોલીસ, SDRF અને રાહત ટીમોએ ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
फलोदी के मतोडा क्षेत्र में सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दुखद एवं हृदयविदारक है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
— Bhajanlal Sharma (@BhajanlalBjp) November 2, 2025
जिला प्रशासन के अधिकारियों को सभी घायलों का समुचित उपचार सुनिश्चित करने हेतु निर्देश दिए गए हैं। प्रभु से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति दें…
અકસ્માતની માહિતી મળતાં જ જોધપુર પોલીસ કમિશનર ઓમ પ્રકાશ માથુર ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. ભારતમાલા એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલરની વધુ ગતિ અને નબળી દૃશ્યતા અકસ્માતના પ્રાથમિક કારણો હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે ડ્રાઇવર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ટ્રક જોઈ શક્યો નહીં. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
मुझे पटना में अभी समाचार मिला है कि फलोदी के मतोडा में सड़क हादसे में 15 लोगों की मृत्यु हुई है। यह सुनकर मन बेहद दुखी है। मैं ईश्वर से सभी दिवंगतों को अपने श्रीचरणों में स्थान देने एवं उनके परिजनों को हिम्मत देने तथा घायलों के जल्द स्वस्थ होने की प्रार्थना करता हूं।
— Ashok Gehlot (@ashokgehlot51) November 2, 2025
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા X પર એક પોસ્ટમાં લખ્યું, "ફલોદીના માટોડા વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ અત્યંત દુ:ખદ અને હૃદયદ્રાવક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તમામ ઘાયલોને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ISROની વધુ એક કમાલ, 4400 કિલોગ્રામ વજનની 'બાહુબલી' સેટેલાઈટ કરી લોન્ચ
ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે X પર પોસ્ટ કરી, "મને હમણાં જ પટનામાં સમાચાર મળ્યા કે ફલોદીના માટોડામાં એક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે બધા મૃતકોને પોતાના ચરણોમાં સ્થાન આપે, તેમના પરિવારોને હિંમત આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય."
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.