બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:55 PM, 17 January 2025
શુક્રવારે સવારે પુણે-નાશિક હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો, જેમાં 9 લોકોના મોત થયા. ઘટનાની માહિતી મળતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
पुणे ग्रामीण में पुणे नासिक हाइवे पर बड़ा सड़क हादसा..
— Vivek Gupta (@imvivekgupta) January 17, 2025
9 लोगो की मौत, 8 लोग गंभीर रूप से घायल.
दो गाड़िया आपस में टकराई.. pic.twitter.com/65tMGovYt3
માહિતી અનુસાર, આ ઘટના પુણે-નાસિક હાઇવે પર નારાયણગાંવ નજીક સવારે લગભગ 10 વાગ્યે બની હતી. અહીં એક ટેમ્પોએ પાછળથી એક મીની વાનને ટક્કર મારી. આ કારણે વાન કંટ્રોલ બહાર થઈ ગઈ અને રસ્તાની બાજુમાં ઉભેલી બસ સાથે અથડાઈ ગઈ. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મીની વાન નારાયણગાંવ તરફ જઈ રહી હતી. આ સમય દરમિયાન, તેને પોતાનું સંતુલન ગુમાવ્યું અને બસ સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં મીની વાનમાં મુસાફરી કરી રહેલા તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ADVERTISEMENT

ઘટના સમયે હાજર લોકોનું કહેવું છે કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો. આ ઘટનામાં મીની વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પોલીસ અને રાહત ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: શિક્ષક બનવા માંગતા હોય તો ગુડ ન્યૂઝ, ફરી એક વર્ષનો B.Ed કોર્સ થશે શરૂ, 10 વર્ષ બાદ મંજૂરી
નારાયણગાંવ આસપાસના વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પોલીસ કહ્યું છે કે હજુ સુધી મૃતકોની ઓળખ નથી થઈ શકી. આ મામલાની તપાસ ચાલુ છે. દુર્ઘટનાના ચોક્કસ કારણોની શોધ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ મૃતકોના પરિજનોમાં શોક વ્યાપી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.