બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક

દેવ દર્શન / ધામોદમાં 1200 વર્ષ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ અહીં કર્યો હતો વસવાટ, કથા રોચક

Last Updated: 06:45 AM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લાના વીરપુર, લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે.

ધામોદ ખાતે કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. 1200 વર્ષ જૂના મહાદેવજીના આ મંદિરે પાંડવોએ પૂજા કરી હતી. અહિં એકાદશીએ પૂજા કરવાનો અનોખો મહિમા છે. એકાદશીએ કરવામાં આવતી વિશેષ પૂજાથી તેનું વિશેષ ફળ મળે છે. ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલા કેદારેશ્વર મહાદેવજીના મંદિરેમાં પાંડવોએ વસવાટ કર્યો હતો. મહીસાગર જિલ્લાના વીરપુર, લુણાવાડા અને અરવલ્લીના ધોળી ડુંગરીથી વીરપુર રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરોની હરોળમાં ગીચ જંગલ વચ્ચે ધામોદમાં કેદારેશ્વર મહાદેવ બિરાજમાન છે. ડુંગર પર કિલ્લા વચ્ચે આવેલા કેદારેશ્વર મંદિરનું વાતાવરણ રમણીય છે. લુણાવાડાની ઉંતરે ખાનપુર તાલુકાના કલેશ્વરીથી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હેડંબાવન તરીકે ઓળખાતો હતો. કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમસ્થાન છે. પાંડવો અજ્ઞાતવાસમાં આ સ્થળે હતા ત્યારે નદીમાં સ્નાન કરવા ઉતરેલા ભીમ નદીમાં પાણી ઓછું હોવાથી નદી વચ્ચે આડા પડતા પાણી વધારે માત્રામાં એક બાજુ ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાઈ ગયુ હતું. આ મંદિરે ભગવાન ભોળાનાથનું એકવાર નામ લેવાથી તેનું અનેક ગણુ ફળ મળવાની માન્યતા છે.

D 1

મહીસાગરના ધામોદ ગામે કેદારેશ્વર મહાદેવ બિરાજમાન

બીજી એક લોકવાયકા પ્રમાણે શિવભક્ત લાલીયા લવાર ભગવાન શિવજી પ્રસન્ન થયા હતા અને તેના પર અઢળક સંપત્તિનો ધોધ વર્ષાવ્યો હતો. તેને પારસમણી પણ મળ્યો હતો જેની સરકારને જાણ થતા સરકાર લાલિયા લવારની પાછળ થઇ હતી અટલે તેણે પારસમણી ઉંડા ધરામાં નાખી દીધો હતો. અને લાલીયા લવારે આ મંદિર બનાવ્યું હતું. મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલી છે જ્યાં અનેક મહાપુરુષોએ તપસ્યા કરેલી છે. રઘૂરામ નામના સંતે 12 સિધ્ધિઓમાંની એક સિદ્ધિ આ ગુફામાં બેસીને મેળવી હતી વર્તમાનમાં પણ આ ગુફા જીવંતશીલ છે. શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે મહાદેવજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં ભાવિકો આ મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. શ્રાવણ માસમાં આ મંદિરનો અનોખો મહિમા રહ્યો છે. એવું માનવામાં આવે છે કે પાંડવોએ આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જંગલની વચ્ચે આવેલા કેદારનાથ મહાદેવના મંદિરે દૂરદૂરથી આવતા ભાવિક ભક્તો દર્શન કર્યા પછી મહાદેવના સાનિધ્યમાં કુદરતી વાતાવરણનો આનંદ માણી શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે.

2

આ પણ વાંચો: બોટાદમાં નદીઓના સંગમ પાસે પ્રાચીન મંદિર, જ્યાં નવહથ્થા હનુમાનજીની હજારો વર્ષ જૂની સ્વયંભૂ પ્રતિમા

શેઢી નદી પર આવેલું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું કેન્દ્ર

શેઢી નદીના ઉપરના ભાગે આવેલું કેદારેશ્વર મહાદેવનું મંદિર ત્રણ તાલુકાના લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. એક લોકવાયકા પ્રમાણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે અહીં સ્થિત મૂર્તિઓ બોલી ઊઠી હતી. અહીં ગણપતિજીની બે મૂર્તિ, માતાજીની બે મૂર્તિ, હનુમાનજીની બે મૂર્તિ અને મહાદેવજીના બે પોઠીયા બિરાજમાન છે. જ્યારે આ મંદિરમાંથી મૂર્તિઓ હટાવવામાં આવી અને નવી મૂર્તિઓ મૂકવામાં આવી ત્યારે મૂર્તિમાંથી અવાજ આવ્યો હતો અને લોહીની ધારા વહી હતી ત્યારથી આ મંદિરમાં બે બે મૂર્તિઓ બિરાજમાન છે. મંદિર આવતા ઘણા ભાવિક ભક્તોને ભગવાનના સાક્ષાત્કાર થયા છે એકાદશીએ સફરજનનું ફળ મહાદેવને ચઢાવવાથી મનોવાંચ્છિત ફળ મળે છે અને નિસંતાન દંપતિના ઘરે બાળકનો જન્મ થાય છે તેવી માન્યતા છે. મહાદેવજીના મંદિરે દેશભરમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે અને ભોળાના દર્શન કરી ધન્ય થઈ સકારાત્મક ઉર્જા સાથે પાછા જાય છે.

D 5

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kedareshwar Mahadev Dev Darshan Kedareshwar Mahadev Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ