દ્વારકા નજીક આવેલ દ્વાદશ જ્યતિર્લિંગ માં ભક્તો ઉમટી પડ્યા
દ્વારકા દેશભરમાં મહા શિવરાત્રિની ઉજવણી
નાગેશ્વર જ્યોર્તિલિંગ ખાતે પણ ભક્તોનું ઘોડાપૂર
કોરોનાને લઈને પ્રશાસન દ્વારા વિશેષ આયોજન
આજ મહા શિવરાત્રી નો દિવસ દેશ ભાર ના તમામ શિવાલયોમાં ભોળાનાથના નાદ થી ગુંજી ઉઠ્યા છે ત્યારે દ્વારકા નજીક આવેલ દ્વાદશ જ્યતિર્લિંગ માં ભક્તોની ભીડ જોવા મળી હતી અને ભક્તોએ જળાભિષેક અને દૂધાભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ભારત ના બાર જ્યોતિર્લીંગ માનું એક જ્યોતિર્લિંગ દ્વારકા તાલુકા ના નાગેશ્વર માં આવેલું છે અહી રોજ ના હજારો યાત્રિકો દર્શન કરવા આવે છે ત્યારે ગુજરાત અને ભારત ભાર માંથી લોકો પોતાની મનોકામના અને આશાઓ લઇ ને આવતા હોય છે ત્યારે આજે ખાસ મહાશિવરાત્રી પર્વ હોઈ ત્યારે શિવ ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી અને ભગવાન ભોળાનાથ ના દર્શન કરવા લોકો નાગેશ્વર જ્યોતિર્લીંગ ના દર્શન કરવા આવ્યા હતા ત્યારે દૂધ અને જલાભિષેક કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા હતા
દ્વારકાથી સોળ કિમી દુર આવેલું નાગેશ્વર મહાદેવ મંદિરમાં આજે શિવરાત્રીના પર્વ પર ચાર પહોરની પૂજા થનાર છે ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે તેવામાં મંદિર પ્રશાસન દ્વારા ખાસ સેનેટાઇઝર અને સામાજિક અંતર રાખવા તેમજ માસ્ક પહેરવાની સૂચના અપાઈ છે અને ભક્તો પણ હોંશે હોંશે તમામ સરકારી કોવિડ 19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને ભક્તો તેમજ પૂજારી દ્વારા આ કોરોનાની બીમારી દૂર થાય તેવી પ્રાર્થના કરી છે અને ભગવાન ભોળાનાથ નાગેશ્વર મહાદેવના મંદિર માં અનેક શ્રદ્ધા અને અતૂટ વિશ્વાશ લઇને આવ્યા છે ત્યારે જ્યોતિર્લિંગના દર્શન કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરે છે.