બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ
હાલની ગતિવિધિ મુજબ મહા ચક્રવાત નબળું થઈ ગયું છે.આજે સવારે વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને વેરાવળથી 490 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતો. હાલમાં સમુદ્રની સપાટીનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે, આ ચક્રવાત હજુ વધુ નબળો પડે તેવી સંભાવના છે કારણ કે પશ્ચિમથી આવતા સુકા પવન પણ ચક્રવાત સીસ્ટમને વધુ નબળી પાડશે.
ADVERTISEMENT
આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે
તેથી મહા વાવાઝોડું દરિયાકિનારે પહોચે તે પહેલાં નબળો પડી જાય તેની પ્રબળ સંભાવનાઓ છે. આમ ગુજરાત પરથી મહા વાવાઝોડું વિનાશ સર્જે તેવો ખતરો હાલ ટળતો દેખાઈ રહ્યો છે જોકે આવતી કાલ બપોર સુધી દરિયામાં પવનની ગતિમાં સતત વધારો જોવા મળશે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની કલાકથી પવન ફૂંકાઈ શકે છે જે વધુમાં વધુ 60-70ની ગતિ ધારણ કરી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.