બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 1900 વીઘામાં એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી... પાક નુકસાનીથી ખેડૂતો ભાવુક, લોદરીયાલમાં સહાય માટે માંગ

અમદાવાદ / 1900 વીઘામાં એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી... પાક નુકસાનીથી ખેડૂતો ભાવુક, લોદરીયાલમાં સહાય માટે માંગ

Published By: Nidhi Panchal

Last Updated: 12:30 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ જિલ્લાના લોદરીયાલ ગામમાં ભારે વરસાદ બાદ ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતો સામે જીવનનિર્વાહનું મોટું સંકટ ઊભું થયું છે. ખેડૂતોનો દાવો છે કે ડાંગરનો સમગ્ર પાક બરબાદ થઈ ગયો છે અને હવે સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગ જોર પકડી રહી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ-બાવળા હાઈવે નજીક આવેલા લોદરીયાલ ગામમાં ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. સતત વરસાદને કારણે ગામની અંદાજે 1400 વિઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જ્યાં થોડા દિવસ પહેલા લીલાછમ ડાંગરના ખેતરો જોવા મળતા હતા, ત્યાં આજે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો નહીં પરંતુ જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા ખેડૂતોની ચિંતા અનેકગણી વધી ગઈ છે.

ahd-2

આશા નિષ્ફળ ગઇ

ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે મોટી આશા સાથે ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો, પરંતુ સતત વરસાદ અને પાણી ભરાવાના કારણે સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. માત્ર ઉભો પાક જ નહીં પરંતુ ડાંગરના રોપા માટે તૈયાર કરાયેલું ધરું પણ સંપૂર્ણ નાશ પામ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે હવે જમીનમાંથી પાણી ઉતર્યા બાદ પણ જાન્યુઆરી સુધી કોઈ નવો પાક લઈ શકાય તેવી સ્થિતિ નથી. એટલે આગામી 5 મહિના સુધી આવકનું કોઈ સાધન નહીં રહે, જેના કારણે અનેક પરિવારો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે.

ahmedabad-kheti

22થી 23 કરોડ રૂપિયાનું નુકસાન

ખેડૂતોનો દાવો છે કે માત્ર લોદરીયાલ ગામમાં જ અંદાજે 22થી 23 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ ગામમાં અનેક સ્થળે ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે અને કેટલાક મકાનો પણ ધરાશાયી થયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગામમાં ખોરાક અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

"ખેતર નહીં, દરિયો બની ગયો છે"

ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું, "વરસાદના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ઘરોને નુકસાન થયું છે અને ખેતીમાં લગભગ 90 ટકા જેટલું નુકસાન થયું છે. ડાંગરનો એક પણ સ્વર બચ્યો નથી. અમે એક મહિના પહેલા મહેનત કરીને વાવેતર કર્યું હતું, પરંતુ હવે ફરી ખેતી કરવા માટે પાંચ મહિના રાહ જોવી પડશે. રોપવા માટે તૈયાર કરેલું ધરું પણ પાણીમાં નાશ પામ્યું છે. હવે અમારી પાસે સરકાર સહાય કરે અને યોગ્ય વળતર આપે એ જ એક આશા છે."
khedut

આ વખતે નુકસાનનું પ્રમાણ મોટું

ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે દર વર્ષે વરસાદ બાદ આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. આ વખતે નુકસાનનું પ્રમાણ એટલું મોટું છે કે અનેક ખેડૂતો દેવાના બોજા હેઠળ આવી જશે. ગામમાં આશરે 1900 વિઘા વિસ્તારમાં પાણી એટલું ભરાયું છે કે એક પણ ડાંગરનો છોડ બચ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે હવે માત્ર પાક નહીં પરંતુ તેમના પરિવારના ભવિષ્યનો પણ પ્રશ્ન ઉભો થયો છે.

આ પણ વાંચો : 20 ગુંઠા તળાવ પર ગેરકાયદે દબાણનો આરોપ! મહિલા સરપંચ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

સરકારે અગાઉ સુરત અને અમદાવાદમાં ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી હતી. હવે લોદરીયાલ ગામના ખેડૂતો પણ સરકાર સમક્ષ એક જ માંગ કરી રહ્યા છે કે ખેતીમાં થયેલા ભારે નુકસાનનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર તથા આર્થિક સહાય આપવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે જો સમયસર સહાય નહીં મળે તો આગામી સીઝનમાં ખેતી શરૂ કરવી પણ મુશ્કેલ બની જશે. હાલ સમગ્ર ગામ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે અને ખેડૂતોને આશા છે કે તેમની મહેનત અને નુકસાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Rain Crop Damage Farmers Loss

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ