બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 2,61,70,00,00,000... ગણી શક્યાં? નહીં ને, બેંકે આટલા રૂપિયા પેનલ્ટીમાં વસૂલ્યાં

બિઝનેસ / 2,61,70,00,00,000... ગણી શક્યાં? નહીં ને, બેંકે આટલા રૂપિયા પેનલ્ટીમાં વસૂલ્યાં

Published By: Pravin Joshi

Last Updated: 09:20 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લગભગ દરેક નાગરિકનું બેંકમાં ખાતું હોય છે, પરંતુ ઘણી વખત બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન જાળવી શકવાના કારણે ગ્રાહકોએ મોટો દંડ ચુકવવો પડે છે. રાજ્યસભામાં રજૂ કરાયેલા સંસદીય આંકડાઓ અનુસાર, વિગતવાર છેલ્લા 4 નાણાકીય વર્ષોમાં (FY23 થી FY26) બેંકોએ મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ ગ્રાહકો પાસેથી પેનલ્ટી પેટે રૂ. 26,170.37 કરોડની જંગી રકમ વસૂલી છે.

જો તમારું પણ બેંકમાં બચત ખાતું કે ચાલુ ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત મજબૂરી કે બેદરકારીના કારણે ગ્રાહકો પોતાના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવામાં નિષ્ફળ જાય છે, અને બેંકો આ ભૂલ બદલ ગ્રાહકો પર ભારે દંડ લગાવે છે. રાજ્યસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2022-23 થી લઈને નાણાકીય વર્ષ 2025-26 સુધીના 4 વર્ષોમાં બેંકોએ ગ્રાહકો પાસેથી પેનલ્ટી તરીકે 26,170.37 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે.

Bank-Account

વર્ષ-દર-વર્ષ પેનલ્ટીની રકમમાં સતત વધારો

સંસદીય આંકડાઓ દર્શાવે છે કે બેંકો દ્વારા વસૂલવામાં આવતી પેનલ્ટીની રકમ વર્ષ-દર-વર્ષ સતત વધી રહી છે:

  • નાણાકીય વર્ષ 2025-26: બેંકોએ ગ્રાહકો પાસેથી રૂ. 7,086.63 કરોડ વસૂલ્યા.
  • નાણાકીય વર્ષ 2024-25: બેંકોએ દંડ તરીકે રૂ. 6,974.79 કરોડ એકઠા કર્યા હતા.
  • છેલ્લા 4 વર્ષમાં કુલ વસૂલાત રૂ. 26,100 કરોડથી પણ વધુ પહોંચી ગઈ છે.
BANK-HOLIDAY-8

દંડ વસૂલવામાં પ્રાઇવેટ બેંકો સૌથી આગળ

નાણાકીય વર્ષ 2025-26 ના આંકડા મુજબ, પેનલ્ટી વસૂલવાના મામલે ખાનગી (પ્રાઇવેટ) બેંકો સરકારી બેંકો કરતાં ઘણી આગળ રહી છે:

પ્રાઇવેટ બેંકો: ખાનગી બેંકોએ ગ્રાહકો પાસેથી કુલ રૂ. 4,948.71 કરોડ પેનલ્ટી પેટે વસૂલ કર્યા. જેમાં સૌથી વધુ કમાણી HDFC બેંકે (રૂ. 1,798.14 કરોડ) અને બીજા ક્રમે એક્સિસ બેંકે (રૂ. 1,081.33 કરોડ) કરી હતી.

સરકારી બેંકો: દેશની તમામ 12 સરકારી બેંકોએ મળીને કુલ રૂ. 2,137.92 કરોડ એકઠા કર્યા હતા. જેમાં સૌથી વધુ રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ રૂ. 477.27 કરોડ અને બેંક ઓફ બરોડાએ રૂ. 394.1 કરોડ મેળવી હતી.

bank-new-logo

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નિયમો અને રાહત

એસબીઆઈ (SBI) એ માર્ચ 2020 થી જ બચત ખાતાઓ (Savings Accounts) પર મિનિમમ બેલેન્સ ન રાખવાની પેનલ્ટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. એસબીઆઈની આ પેનલ્ટી માત્ર કરંટ અકાઉન્ટ કે અન્ય ખાસ ખાતાઓ પર જ લાગુ હતી.

નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના માર્ગદર્શિકા મુજબ બેંકો પોતાની વ્યવસાયિક નીતિઓ અનુસાર પારદર્શક રીતે પેનલ્ટી નક્કી કરી શકે છે. જોકે, ગ્રાહકોને રાહત આપવાના હેતુથી દેશની 12 માંથી 10 સરકારી બેંકોએ બચત ખાતાઓ પરનો દંડ સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે, જ્યારે 2 બેંકોએ પોતાના ચાર્જીસમાં ઘટાડો કરીને તેને વ્યવહારુ બનાવ્યા છે.

વધુ વાંચો : મનોરંજન / આતુરતાનો અંત! આવી ગઇ રામાયણનું ટ્રેલર રિલીઝ થવાની તારીખ

આ ઉપરાંત, આરબીઆઈના નિયમ અનુસાર, જો કોઈ ગ્રાહકનું બેલેન્સ મિનિમમ લિમિટથી નીચે જાય છે, તો બેંકે તરત જ પેનલ્ટી કાપવાને બદલે ગ્રાહકને SMS, ઈમેલ કે પત્ર દ્વારા જાણ કરવી પડે છે અને બેલેન્સ સુધારવા માટે પૂરતો સમય આપવો પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

MinimumBalance BankingRules BankPenalty

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ