બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પેપર લીક બિલ પર હોબાળો, 'વિદ્યાર્થીઓ, મૂર્ખ અને અંધ ભક્તો...' કહી રાહુલ ગાંધીનો સરકાર પર નિશાન
Last Updated: 01:34 PM, 29 July 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. મંગળવારથી શરૂ થયેલી ચર્ચા બુધવારે પણ ચાલુ રહી હતી. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આગળ વધી હતી. આજની ચર્ચાની શરૂઆત JDUના સાંસદ દિલેશ્વર કામતે કરી હતી.
ADVERTISEMENT

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન દેશના વિદ્યાર્થીઓ અને પેપર લીકના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી ગયું છે અને વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. શિક્ષણ મોંઘું બન્યું છે અને વિદ્યાર્થીઓની મહેનત સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું છે. તેમના જણાવ્યા મુજબ, દેશના યુવાનોનો ગુસ્સો યોગ્ય છે અને વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી રહી છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું, "મને લાગ્યું કે મૂર્ખ અને વિદ્યાર્થીઓ બંને છે. પછી મને પૂછવામાં આવ્યું કે ત્રીજી શ્રેણી એટલે અંધ ભક્તો ક્યાં છે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રણાલી અંગે વાત કરી રહ્યા છે. તેઓ આઠથી દસ કલાક અભ્યાસ કરે છે, વર્ષો સુધી મહેનત કરે છે અને શિક્ષણ પણ ખૂબ મોંઘું છે." આ નિવેદન બાદ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હોબાળો શરૂ થયો.
ADVERTISEMENT
સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સહિત સત્તાપક્ષના સભ્યોએ રાહુલ ગાંધી પર બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો અને આવા શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવાની માંગ કરી. લોકસભા અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે જે પણ શબ્દો બિનસંસદીય ગણાશે તે કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ "મૂર્ખ" શબ્દને અન્ય શબ્દથી બદલી દેશે. તેના જવાબમાં સ્પીકરે જણાવ્યું કે તેની માટે પહેલેથી જ સંસદીય પ્રક્રિયા ઉપલબ્ધ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓ જાગૃત છે અને સત્ય જાણે છે. તેમણે કહ્યું કે યુવાનો ખુલ્લા મનથી શીખવા માંગે છે અને દરેક ભારતીયને વિદ્યાર્થીઓ પર ગર્વ હોવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ, દેશના યુવાનોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા જોઈએ અને તેમનું સન્માન થવું જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ગુસ્સો કે દ્વેષ નહીં પરંતુ ભવિષ્ય પ્રત્યેની ચિંતા જોવા મળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.