બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનમાં 30 મોટા આતંકવાદીઓને કોણે ઠાર માર્યા? લશ્કરના કમાંડરની કબૂલાત

વિશ્વ / પાકિસ્તાનમાં 30 મોટા આતંકવાદીઓને કોણે ઠાર માર્યા? લશ્કરના કમાંડરની કબૂલાત

Published By: Nirav Kumar

Last Updated: 12:20 AM, 4 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે જાહેરમાં દાવો કર્યો છે કે છેલ્લા મહિનાઓમાં 30 કમાન્ડરો માર્યા ગયા છે. આ નિવેદન પાકિસ્તાનમાં આ સંગઠનની સક્રિયતા અને લશ્કર-એ-તૈયબામાં ડરનો માહોલ છે તે ઉજાગર કરે છે.

પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના એક મહત્વના કમાન્ડર રિઝવાન હનીફે દાવો કર્યો છે કે છેલ્લા અમુક મહિનામાં પાકિસ્તાન અને ગુલામ કાશ્મીરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ લશ્કરના લગભગ 30 કમાન્ડરોને મારી નાખ્યા છે. આ વાત તેને કોઈ ગુપ્ત બેઠકમાં નહીં પરંતુ જાહેર રેલીમાં કરી હતી. જેમાં તેને કહ્યું કે એક મોટા કમાન્ડરને ભારતીય ગુપ્તચર એજન્સીઓએ મુઝફ્ફરાબાદમાં પોતાના એજન્ટો મારફતે માર્યો છે, પરંતુ અત્યાર સુધી ન તો તેઓ અને ન તો પાકિસ્તાની એજન્સીઓ આ હુમલાખોરોની ઓળખ કરી શક્યા છે.

વર્ષ 2005 માં યુનાઈટેડ નેશન દ્વારા અલ-કાયદા અને તાલિબાન સાથેના સંબંધોને કારણે પ્રતિબંધિત કરાયેલા લશ્કર-એ-તૈયબા સાથે જોડાએલા કોઈ આતંકીએ આ પ્રકારની હત્યાઓનો જાહેરમાં દાવો કર્યો હોય તે પહેલી વાર છે.

  • અમે બીજા ધર્મવાળાને ભગાડી દઈશું

હનીફે પોતાના વીડિયોમાં હિન્દુ સમુદાય માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરીને કહ્યું કે અમે હનુમાન, શ્રી રામ કે ગાયની પૂજા કરનારા નથી. હિન્દુ ઈચ્છે છે કે અહીં ગાયની પૂજા થાય, યહૂદી ઈચ્છે છે કે વાછરડાની પૂજા થાય પરંતુ અમે આવું થવા નહીં દઈએ. અમે ઇસ્લામનો ઝંડો દરેક જગ્યાએ લહેરાવીશું અને તેમને ભગાડીશું.

વીડિયોમાં તેને વધુમાં કહ્યું કે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં લશ્કર-એ-તૈયબાના અનેક સભ્યો પાકિસ્તાન અને ગુલામ જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં માર્યા ગયા છે. પેશાવર, કરાચી, રાવલપિંડી, રાવલાકોટ અને મુઝફ્ફરાબાદમાં 30થી વધુ આતંકીઓને અજ્ઞાત હુમલાખોરોએ મારી નાખ્યા છે.

ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ વીડિયાની સત્યતા ચકાસીને પુષ્ટિ કરી છે. તેમના મતે વીડિયોમાં દેખાતી વ્યક્તિ લશ્કર-એ-તૈયબાનો વરિષ્ઠ આતંકી છે અને ભારતમાં વોન્ટેડ છે.

વધુ વાંચો : બોમ્બ ધડાકાથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, આત્મઘાતી હુમલામાં 14 લોકોનાં મોત

આ અંગે એક સીનીયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હનીફનું નિવેદન સાબિત કરે છે કે પાકિસ્તાન અને ગુલામ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા હજુ પણ એક્ટીવ છે. પાકિસ્તાનનો દાવો છે કે તેને આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે અને મુખ્ય કમાન્ડરોને જેલમાં નાખ્યા છે તે ખોટો સાબિત થાય છે. આ દર્શાવે છે કે લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાનની સરકાર એક જ છે અને લશ્કર-એ-તૈયબાને પાકિસ્તાનની અનધિકૃત સેના પણ કહી શકાય. હનીફે પાકિસ્તાનની પોલ ખોલી છે અને આતંકી સંગઠનોમાં કમાન્ડરોની હત્યા બાદ ડરનો માહોલ સર્જાયો છે તે આ વાત પરથી સ્પષ્ટ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lashkar-e-Taiba Rizwan Hanif militant organization

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ