બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શિવ પુરાણ અનુસાર રૂદ્રાક્ષ એક મુખીથી લઈને 38 મુખી સુધીના હોય છે અને દરેકનો પ્રભાવ અલગ અલગ હોય છે. તે ખૂબ ચમત્કારી હોય છે. તેના વિશે કહેવામાં આવે છે કે જો આ કોઈને સુટ કરે તો તેનું ભાગ્ય સાવ ફેરવાઈ જાય છે. જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. રૂદ્રાક્ષથી વ્યક્તિના જીવનમાં ખૂબ સફળતા મળવાની સાથે દરેક કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
ભગવાનને પ્રિય છે રૂદ્રાક્ષ
જો કોઈને ભગવાન શિવની સાથે ગણેશજીની કૃપા પણ જોઈએ છે તો તેને ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ ભગવાન ગણપતિનું રૂપ છે. તેને ઘારણ કરવાથી વ્યક્તિનું માનસિક સન્તુલન સારૂ થઈ જાય છે અને તે મુશ્કેલીઓમાં ગભરાયા વગર સાચો નિર્ણય લે છે. તેના જીવનમાં આવનાર દરકે મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
ADVERTISEMENT

થશે અદભૂત ફાયદાઓ
ભગવાન શિવના રૂદ્રાક્ષ આપણી દરેક પ્રકારની સમસ્યાને હરાવવાની ક્ષમતા ધરાવે છે. કહેવામાં આવે છે કે રૂદ્રાક્ષ જેટલો નાનો હશે તેટલો જ પ્રભાવશાળી હશે. આ રૂદ્રાક્ષ સફળતા, ધન-સંપત્તિ, માન-સન્માન અપાવે છે.
ADVERTISEMENT

દરેક સમસ્યાનું સમાધાન
ભગવાન શિવે માનવજાતના કલ્યાણ માટે પોતાના નેત્રોથી આંસુના રૂપમાં રૂદ્રાક્ષ ઉત્પન્ન કર્યા હતા. તેમની આંખોમાંથી પડેલા પહેલા આંસુને એક મુખી રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. એક મુખી રૂદ્રાક્ષને સૌથી મહત્વપૂર્ણ અને કલ્યાણકારી રૂદ્રાક્ષ માનવામાં આવે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર તેનો છોડ ધરની આસપાસ આંગણામાં લગાવવો ખુબ શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT

અલગ અલગ ફાયદાઓ
રૂદ્રાક્ષ ઘણા પ્રકારના હોય છે. બે મુખી રૂદ્રાક્ષને શિવ શક્તિનું રૂપ માનવામાં આવે છે અને તેને ધારણ કરવા પર પતિ પત્ની, પિતા પુત્ર અને ભાગીદારોમાં સંબંધ મધુર બને છે. જન્મપત્રીમાં ચંદ્રમાં કમજોર હોવા પર બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ માનસિક રૂપથી મજબૂત થઈને સાચા નિર્ણયો લે છે. ત્યાં જ ચાર મુખી નેપાળી રૂદ્રાક્ષ ધારણ કરવાથી સ્મરણ શક્તિ વધવાની સાથે વાણીમાં મિઠાસ આવે છે. બાળકોને આ રૂદ્રાક્ષ ધારણ કરાવવાથી તેમની સ્મરણ શક્તિ વધાવાની સાથે સાથે વાણીમાં મિઠાસ આવે છે. બાળકોને રૂદ્રાક્ષ ધારણ કરાવવાતી તેમની જીદ કરવાની પ્રવૃતિ દૂર થાય છે. રૂદ્રાક્ષને કોઈ યોગ્ય જ્યોતિષની દેખ રેખમાં જ ધારણ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.