ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / NPS અકાઉન્ટમાં 50 લાખ કે 1 કરોડ રૂપિયા જમા હોય તો રિટાયરમેન્ટ પર કેટલા રૂપિયા મળે?

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / NPS અકાઉન્ટમાં 50 લાખ કે 1 કરોડ રૂપિયા જમા હોય તો રિટાયરમેન્ટ પર કેટલા રૂપિયા મળે?

Last Updated: 04:16 PM, 7 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

NPSમાં રિટાયરમેન્ટ વખતે સામાન્ય રીતે 60 ટકા રકમ એકસાથે અને 40 ટકા એન્યુટીમાં જાય છે. 50 લાખ કે 1 કરોડના ઉદાહરણ પરથી જોઈ શકાય છે કે પેન્શનની રકમ એન્યુટીના દર અને પ્લાન પર આધાર રાખે છે.

1/5

photoStories-logo

1. NPSમાં મોટા કોર્પસની ગણતરી

NPSમાં મોટું કોર્પસ એકઠું કરવું એક વાત છે, પણ રિટાયરમેન્ટ વખતે તેમાંથી કેટલું પૈસા હાથમાં મળશે અને કેટલું પેન્શન તરીકે આવશે, તે સમજવું વધુ મહત્વનું છે. કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે સામાન્ય રિટાયરમેન્ટ વખતે NPSમાં જમા રકમમાંથી વધુમાં વધુ 60 ટકા રકમ એકસાથે કાઢી શકાય છે. બાકીની ઓછામાં ઓછી 40 ટકા રકમથી એન્યુટી ખરીદવી પડે છે. આ એન્યુટીથી જ નિયમિત માસિક પેન્શન મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 60 ટકા રકમ

મતલબ કે રિટાયરમેન્ટ સમયે તમારા NPS એકાઉન્ટમાં 50 લાખ રૂપિયા છે. તો તેમાંથી 60 ટકા એટલે 30 લાખ રૂપિયા તમને એકસાથે મળી શકે છે. બાકીના 20 લાખ રૂપિયા એન્યુટીમાં જાય છે. જો એન્યુટીનો વાર્ષિક દર 7 ટકા માનીએ તો વર્ષે આશરે 1.40 લાખ રૂપિયા, એટલે મહિને લગભગ 11,667 રૂપિયા પેન્શન મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. જો કોર્પસ 1 કરોડ હોય તો?

હવે જો કોર્પસ 1 કરોડ રૂપિયાનું હોય તો 60 ટકા એટલે 60 લાખ રૂપિયા એકસાથે મળી શકે છે અને બાકીના 40 લાખ એન્યુટીમાં જાય છે. અને 7 ટકાના દર પર વર્ષે આશરે 2.80 લાખ રૂપિયા એટલે મહિને લગભગ 23,333 રૂપિયા પેન્શન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. આ આંકડા લેવાયા છે ઉદાહરણ તરીકે

આ આંકડા માત્ર ઉદાહરણ તરીકે છે. અસલી પેન્શન રિટાયરમેન્ટ વખતે ઉપલબ્ધ એન્યુટી રેટ, તમે પસંદ કરેલી પ્લાન અને બીજા ઓપ્શન જેમ કે પતિ-પત્નીને ચાલુ રહેતું પેન્શન કે મૂળ રકમ પરત મળવાની વ્યવસ્થા પર આધાર રાખે છે. જેમાં માત્ર કુલ જમા રકમ જોઈને ચોક્કસ પેન્શન કહી શકાય નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 60:40નો નિયમ કોના માટે?

આ 60:40નો નિયમ માત્ર કેન્દ્રીય સરકારી કર્મચારીઓના સામાન્ય રિટાયરમેન્ટ માટે લાગુ પડે છે. બીજા NPS મોડલ કે વહેલા વિડ્રોના કિસ્સામાં નિયમો અલગ હોઈ શકે છે. આથી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે કુલ કોર્પસની સાથે સાથે આ ડિસ્ટ્રીબ્યુશન પણ સમજી લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

retirement pension NPS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ