બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Know about the benefits of sleeping on the floor
Pooja Khunti
Last Updated: 11:14 AM, 23 January 2024
જમીન પર સૂવું હવે ભૂતકાળ બની ગયું છે. આજકાલ લોકો પોતાની પથારી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા માંગતા નથી. જ્યારે તમે થાકેલા ઘરે પહોંચો ત્યારે તમને ફક્ત પથારી જ જોઈએ છે. કેટલાક લોકો પોતાની પથારી સિવાય બીજે ક્યાંય ઊંઘી શકતા નથી. પૂરતી ઊંઘ અને એટલા આરામમાં સૂતા પછી પણ લોકો કમરના દુ:ખાવાથી પીડાય છે. મોટાભાગના લોકો પીઠના દુ:ખાવાની ફરિયાદ કરે છે. કેટલાક લોકો તેમની જરૂરિયાત મુજબ ગાદલા બનાવે છે. જેથી શરીરને કોઈ દુ:ખાવો ન થાય, પરંતુ કમરના દુ:ખાવાથી છુટકારો મેળવવાનો એક ખૂબ જ સરળ ઉપાય છે. જમીન પર સૂવું. તમને આ સાંભળીને નવાઈ લાગશે પરંતુ એ વાત સાચી છે કે જમીન પર સૂવાથી ન માત્ર કમરનો દુ:ખાવો દૂર થાય છે પરંતુ શરીરને ઘણા ફાયદા પણ થાય છે. તમને શરૂઆતમાં 1-2 દિવસ તકલીફ થઈ શકે, પરંતુ લાંબા ગાળે તે ઘણું ફાયદાકારક છે. જાણો, જમીન પર સૂવાથી થતાં ફાયદા વિશે.
જમીન પર સૂવાની સાચી રીત
વાંચવા જેવું: હાઈ યૂરિક એસિડનો ઘરગથ્થું ઉપચાર, દર્દ તાત્કાલિક થશે ગાયબ, પચવામાં પણ સહેલું
જમીન પર સૂવાના ફાયદા
કરોડરજ્જુ સ્વસ્થ રહેશે
જમીન પર સૂવાથી કરોડરજ્જુને કડક થતી અટકાવી શકાય છે. જ્યારે તમે ગાદલાવાળા પલંગ પર સૂઈ જાઓ છો, ત્યારે કરોડરજ્જુ જકડાઈ જાય છે અને તેની સીધી અસર મગજ પર પડે છે. કરોડરજ્જુ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સાથે જોડાયેલ છે. જેનો મગજ સાથે સીધો સંબંધ છે.
સ્નાયુઓને આરામ મળે છે
જમીન પર સૂવાથી ખભા અને નિતંબના સ્નાયુઓને આરામ મળે છે. આ સ્નાયુઓના કારણે જ કમરનો દુ:ખાવો, ખભાનો દુ:ખાવો અને ગરદનનો દુ:ખાવો જેવી સમસ્યાઓ થાય છે.
કમરના દુ:ખાવામાં રાહત
જે લોકો જમીન પર સૂઈ જાય છે. તેમને કમરના દુ:ખાવામાં રાહત મળે છે. જમીન પર સૂવાથી મુદ્રામાં સુધારો થાય છે અને પીઠનો દુ:ખાવો ઓછો થાય છે.
શરીરનું તાપમાન ઘટશે
જમીન પર સૂવાથી શરીરનું તાપમાન ઘટે છે. પલંગ પર સૂવાથી શરીરની ગરમી વધે છે. જેના કારણે શરીરનું તાપમાન પણ વધવા લાગે છે. જમીન પર સૂવાથી શરીરનું તાપમાન સારું રહે છે.
રક્ત પરિભ્રમણ નિયંત્રિત રહે છે
જે લોકો નિયમિતપણે જમીન પર સૂઈ જાય છે. તેઓનું બ્લડ પ્રેશર સારું રહે છે. સ્નાયુઓને આરામ મળે છે. જેનાથી તણાવ ઓછો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh