બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પથરી થવાનું મુખ્ય કારણ ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલ છે. કિડની કે પિત્તાશયમાં પથરી પીડાની સાથે ઘણી સમસ્યાઓને પણ આમંત્રણ આપે છે. તેમાં પણ ક્યારેક તો તેમાં પીડિત વ્યક્તિની પીડા એટલી તીવ્ર હોય છે કે લોકો તેને સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જો તમે તમારા આહારનું ધ્યાન રાખો અને કેટલીક બાબતોથી બચો છો તો તમારી ઘણી ખરી સમસ્યાઓ દૂર થઈ શકે છે. અહીં તમને જણાવી દઇએ કે, જે લોકો પથરીની સમસ્યાથી પીડિત છે અથવા જેમને પહેલાં ક્યારેય પથરી થઈ ચૂકી છે તેઓએ શું ખાવું જોઈએ તે ભૂલવું જોઈએ નહીં.
પથરીની સમસ્યાથી પીડિત વ્યક્તિને પાલકથી દૂર રહેવું એ તેમના હિતમાં છે. કારણ કે તેમાં ઓક્સલેટ હોય છે કે જે શરીરમાં કેલ્શિયમનો સંગ્રહ કરે છે અને પેશાબને પસાર થવા દેતું નથી. આથી જો પથરીની સમસ્યાથી પીડિત જે લોકો પાલકનું સેવન કરે છે તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
ADVERTISEMENT

ચોકલેટ
ADVERTISEMENT
પથરીની સમસ્યાથી પરેશાન લોકોએ ચોકલેટથી દૂર રહેવું જોઈએ. તેના સેવનથી કિડનીનું કદ વધી શકે છે કારણ કે તેમાં ઓક્સલેટ્સ હોય છે. આવી સ્થિતિમાં જો તમે પથરીની સમસ્યાથી પરેશાન છો તો ચોકલેટનું સેવન ન કરો.
ટામેટાં
ADVERTISEMENT
ભારતીય રસોડામાં મોટા ભાગની વસ્તુઓમાં ટામેટાંનો ઉપયોગ થાય છે. પરંતુ તેમાં પણ ઓક્સલેટનું પ્રમાણ પણ વધુ હોય છે. આવી સ્થિતિમાં પથરીના દર્દીઓએ ટામેટાંનું પણ સેવન ન કરવું જોઈએ. પરંતુ જો હજુ પણ તમે ખાવાની ઇચ્છા રાખો છો તો તેનો ઉપયોગ કરતી વખતે તેના બીજ કાઢી નાખો.

ADVERTISEMENT
ઠંડા પીણા પીશો નહીં
ડૉક્ટરો પથરીથી પીડિત લોકોને વધુને વધુ પાણી પીવાની સલાહ આપે છે. આવી સ્થિતિમાં તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે તમારે ભૂલથી પણ ઠંડા પીણાનું સેવન નથી કરવાનું. કારણ કે તેમાં રહેલ ફોસ્ફરસ તમારી સમસ્યાઓને વધુ વધારી શકે છે.
ADVERTISEMENT
મીઠું
પથરીના દર્દીએ ભોજનમાં મીઠાંનો પણ ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણ કે તેમાં સોડિયમ હોય છે કે જે પેટમાં કેલ્શિયમ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.