બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રૂ. 363 કરોડના ખર્ચે કેશોદ એરપોર્ટનું થશે નવીનીકરણ, પ્રવાસનને વેગ આપવા કવાયત
Last Updated: 03:23 PM, 4 March 2025
જૂનાગઢના કેશોદ એરપોર્ટનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવનાર છે. જેમાં 363 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ જૂનાગઢ અને ગીર-સોમનાથના પ્રવાસનને વેગ આપવા માટે આ કવાયત હાથ ધરવામાં આવનાર છે.
ADVERTISEMENT
નવું ટર્મિનલ બનનાર છે
વધુ મળતી માહિતી મુજબ એરપોર્ટમાં નવો કંટ્રોલ રૂમ, નવું ટર્મિનલ બનનાર છે. આ ઉપરાંત એરપોર્ટના રનવેની લંબાઇ પણ વધુ કરવામાં આવશે. જેમાં નાઈટ લેન્ડિંગની પરમિશન ટૂંક સમયમાં આપવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ AMCના અધિકારીઓ અને સત્તાધીશોની સુરક્ષા મોંઘી, 10 વર્ષમાં કર્યો અધધ 2450000000નો ખર્ચ
ગત વર્ષે અપાઇ હતી ફ્લાઇટને મંજૂરી
ADVERTISEMENT
જૂનાગઢના કેશોદ અરપોર્ટ પર વધુ એક ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં કેશોદ-મુંબઇ અને અમદાવાદ-કેશોદ ફ્લાઇટને શરૂ કરવામાં આવી હતી. જેમાં 27 ઓક્ટોબરથી કેશોદ મુંબઇની વધારાની ફ્લાઇટ શરૂ કરાઇ હતી. જેમાં મુસાફરો 45 મિનિટમાં કેશોદથી અમદાવાદ પહોંચી શક્યા હતા. અઠવાડિયામાં 3 દિવસ અમદાવાદ-કેશોદ ફ્લાઇટ ઉડાન ભરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.