બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:37 PM, 31 May 2026
ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ફરી એકવાર ખરાબ બન્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખરાબ હવામાન અને યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને કેદારનાથ યાત્રા હાલ પૂરતી અસ્થાયી રીતે રોકી દીધી છે. ગઢવાલ કમિશનર આનંદ સ્વરૂપે જણાવ્યું કે ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન સામાન્ય બન્યા બાદ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત શ્રીનગર અને ઋષિકેશ સહિતના વિસ્તારોમાં પણ યાત્રાળુઓને રોકી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આપદા વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રજવારે જણાવ્યું કે રુદ્રપ્રયાગ જિલ્લો, કેદારનાથ ધામ અને સમગ્ર કેદારઘાટી વિસ્તારમાં શનિવારથી સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે યાત્રા માર્ગ પર જોખમ વધતાં પ્રશાસને સાવચેતીના ભાગરૂપે યાત્રા રોકી છે.
ADVERTISEMENT
પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા માટે હજારો લોકોને ગુપ્તકાશી, ફાટા, રામપુર, શેરસી, સોનપ્રયાગ અને ગૌરીકુંડ જેવા સુરક્ષિત હોલ્ડિંગ વિસ્તારોમાં રોક્યા છે. બીજી તરફ, કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓને તબક્કાવાર રીતે સુરક્ષિત સ્થળોએ નીચે ઉતારવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રશાસનના નિર્દેશ હેઠળ પોલીસ, SDRF, NDRF અને આપદા વ્યવસ્થાપન વિભાગની ટીમો સતત એલર્ટ પર છે. યાત્રા માર્ગો અને મુખ્ય પડાવ સ્થળો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ઉત્તરાખંડના ચારધામ વિસ્તારમાં સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. ચમોલી જિલ્લામાં સવારે જ ભારે વરસાદ નોંધાયો હતો. જ્યારે શીખ ધર્મના પવિત્ર ધામ હેમકુંડ સાહિબમાં હિમવર્ષા ચાલુ છે. બીજી તરફ બદ્રીનાથ ધામ નજીકના નર-નારાયણ અને નીલકંઠ પર્વતો પણ બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે.
ADVERTISEMENT
હવામાન વિભાગના આંકડા મુજબ ઉત્તરાખંડમાં છેલ્લા ચાર મહિનામાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાયો છે. થોડા દિવસો પહેલાં દેહરાદૂન, હરિદ્વાર, રૂડકી અને કાશીપુર જેવા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું હતું. જોકે છેલ્લા 48 કલાકમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ફરીવાર અમેરિકાએ મારી પલટી, જાણો ગ્રીનકાર્ડને લઇ શું નિર્ણય લીધો?
ADVERTISEMENT
આ વર્ષે કેદારનાથ યાત્રાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. બાબા કેદાર પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસને કારણે માત્ર 39 દિવસમાં જ 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચૂક્યા છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રાના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે ખરાબ હવામાન હોવા છતાં પણ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ યથાવત રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો બાબા કેદારના દર્શન માટે પહોંચી રહ્યા હતા. જોકે હાલ સુરક્ષાને પ્રાથમિકતા આપીને યાત્રા પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે હવામાન સુધરશે ત્યારબાદ જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.