બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Hiralal
Last Updated: 05:35 PM, 26 April 2022
પાકિસ્તાનની કરાંચી યુનિવર્સિટીમાં થયેલા વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ કરાચી યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ પાસે એક વાનમાં થયો હતો. વિસ્ફોટ બાદ વાનમાં આગ લાગી હતી.
#BREAKING: 4 Chinese national died in a blast in a vehicle inside Karachi university. pic.twitter.com/7XCBRLRAwO
— Asad Ali Toor (@AsadAToor) April 26, 2022
ત્રણ ચીની નાગરિકોના મોત અને એક ઘાયલ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટની ખબર અનુસાર, વિસ્ફોટમાં કુલ પાંચ લોકોના મોત થયા છે તથા બે ઘાયલ થયા છે. મરનાર લોકોમાં 3 ચીની નાગરિકો હતા. મૃતકોની ઓળખ કન્ફ્યુશિયસ ઈન્સ્ટીટ્યુટના ડિરેક્ટર ઝુઆંગ ગુઈપિંગ, ડિંગ મુપેંગ, ચેન સા અને ડ્રાઈવર ખાલીદ તરીકે થઈ છે. બે ઘાયલોમાં એક ચીની નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
ઘટનાનો વીડિયો આવ્યો સામે
કરાચી યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલી આગના વીડિયોમાં એક સફેદ રંગની વાનમાં આગની જ્વાળા જોવા મળી રહી છે. વાનની ટોચ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા છે, જ્યારે આસપાસની ઇમારતોની બારીઓ તૂટેલી જોવા મળી રહી છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વાન વાણિજ્ય વિભાગની બાજુમાં કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ તરફ વળી હતી જ્યારે તેમાં વિસ્ફોટ થયો હતો અને આગ લાગી હતી.ઉર્દૂ ભાષા જંગ અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ દૂરથી નિયંત્રિત ઉપકરણના કારણે થયો હતો.
વાનમાં વિસ્ફોટનું કારણ શું છે?
સ્થાનિક પોલીસનું કહેવું છે કે વાનમાં વિસ્ફોટ અને આગ કુદરતી કારણોસર થઈ હતી. એસપી ગુલશને કહ્યું કે બ્લાસ્ટનો અવાજ ખૂબ જ જોરદાર હતો, તેથી બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી, પરંતુ આ બધું કુદરતી કારણોસર થયું છે. સિંધના આઈજી મુસ્તાક અહમદ મહારે મુખ્યમંત્રી મુરાદ અલી શાહ સાથે ટેલિફોન કોલમાં પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયના એક હેન્ડઆઉટમાં અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ બપોરે 2:30 વાગ્યાની આસપાસ એક વાનમાં થયો હતો.
Blast in Karachi University. 2 Chinese national among the 4 dead, several critically injured pic.twitter.com/aEJotmhgP2
— Murtaza Ali Shah (@MurtazaViews) April 26, 2022
બલુચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી સ્વીકારી
બલુચ લિબરેશન આર્મીએ કરાંચી યુનિવર્સિટીમાં થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા