બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'જે અમને છેડશે, અમે તેને છોડીશું નહીં...' કારગિલ વિજય દિવસ કાર્યક્રમમાં બોલ્યા જેપી નડ્ડા
Last Updated: 06:40 PM, 26 July 2025
કારગિલ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં , ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમે કારગિલમાં સામેલ સૈનિકોને સલામ કરીએ છીએ અને તેમને યાદ કરીએ છીએ. જ્યારે પાકિસ્તાની સેના ભારતના ઘણા સેક્ટરો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આદેશ આપ્યો હતો કે આપણી સેના એ સ્થળોએ પાછી મોકલો અને ત્યાં ત્રિરંગો ધ્વજ ફરકાવે.
ADVERTISEMENT
કારગિલ વિજય દિવસ પર જેપી નડ્ડાએ શું કહ્યું?
જેપી નડ્ડાએ કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ યુદ્ધ હતું. પાકિસ્તાની સેના ખુબ જ ઊંચાઈ પર બેઠી હતી અને ભારતીય સેના નીચે હતી. પાકિસ્તાની સેનાને આનો ફાયદો મળી રહ્યો હતો. આ ઓપરેશન આ વાતાવરણમાં શરૂ કરવામાં આવ્યું હતું. 81 દિવસની લડાઈ પછી અમને વિજય મળ્યો.
ADVERTISEMENT
તેમને વધુમાં કહ્યું કે જ્યારે આપણે સુરક્ષા વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે નીતિ નિર્માતાઓની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે. ઘણા નાગરિકો એવા છે જે જાણતા નથી કે જ્યારે પૂંછમાં સરહદ પર એક સૈનિક ઉભો રહેતો હતો, જ્યારે પાકિસ્તાન ગોળીબાર કરતું હતું, ત્યારે સૈનિક નાગરોટાને જાણ કરતો હતો અને નાગરોટાએ ચંડીમંદિરને જાણ કરી હતી અને ચંડીમંદિરે દિલ્હીને જાણ કરી હતી. પછી કહેવામાં આવતું હતું કે રાહ જુઓ, જ્યારે કહેવામાં આવે ત્યારે જવાબ આપો. અમે આવા નીતિ નિર્માતાઓને જોયા છે.
ADVERTISEMENT
'ગોળીઓ ત્યાં સુધી ચલાવવાની રહેશે જ્યાં સુધી...'
જેપી નડ્ડાએ કહ્યું કે જ્યારથી મોદીજીએ વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી નક્કી કરવામાં આવ્યું છે કે જો ત્યાંથી ગોળીબાર થશે, તો આ બાજુથી ગોળાબાર કરવામાં આવશે. ગોળીબાર બંધ ન થાય ત્યાં સુધી ગોળાઓ ચલાવતા રહેશું. આ આપણું નવું સામાન્ય ભારત છે. આપણે બધા જાણીએ છીએ કે ઉરી ઘટના પછી, વડા પ્રધાને નિવેદન આપ્યું હતું કે "પાકિસ્તાન, તેં મોટી ભૂલ કરી છે, તારે તેની કિંમત ચૂકવવી પડશે." આ પહેલાં કોઈ વડા પ્રધાને આવું નિવેદન આપ્યું નહોતું.
ADVERTISEMENT
Addressing the Kargil Vijay Diwas Samaroh at BJP HQ in New Delhi. https://t.co/NhOcZc8VUO
— Jagat Prakash Nadda (@JPNadda) July 26, 2025
તેમને કહ્યું કે 26/11 થી વિપરીત, અમે ડોઝિયર્સ સાથે નહોતા ગયા. ચા પીધા પછી ડોઝિયર્સ સોંપવાનો સમય પૂરો થઈ ગયો છે. આપણે બધા જાણીએ છીએ કે આ પછી ભારતે બદલો લીધો અને પાકિસ્તાનના લોન્ચ પેડ્સનો નાશ કર્યો. પુલવામા પછી પણ આવું જ થયું. પહેલગામ પછી, વડા પ્રધાને કહ્યું હતું કે આ ઘટના પછી, પાકિસ્તાનને કિંમત ચૂકવવી પડશે અને તેને કલ્પના બહારનો જવાબ મળશે. તમને યાદ હશે કે વડા પ્રધાને કહ્યું હતું, "હમ ઘર મેં ઘુસ કર મારેંગે.
ADVERTISEMENT
તેમને કહ્યું કે પીએમ મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે જે કોઈ પણ આપણને હેરાન કરશે તેને અમે છોડશું નહીં. તેમને એમ પણ કહ્યું કે પરમાણુ બોમ્બની ધમકીઓ આપવાનું બંધ કરો. અને સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન સિંદૂર હજુ સમાપ્ત થયું નથી. તેથી, લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે નીતિ નિર્માતાઓની યોગ્ય પસંદગીથી દેશ કેવી રીતે બદલાય છે. તેમણે એમ પણ કહ્યું કે 10 વર્ષમાં સરહદી વિસ્તારોમાં 8,000 કિમી રોડ પૂર્ણ થયો છે. 400 થી વધુ ડબલ લેન પુલ પૂર્ણ થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.