રાજ્યમાં સરકારી ભરતીઓને લઈને જીતુ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ દરેક વિભાગ પાસે માહિતી માગી છે. સાથેજ જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં તબક્કાવાર ભરતી કરવામાં આવશે.
સરકારી ભરતી મુદ્દે જીતુ વાઘાણીનું મોટું નિવેદન
રાજ્યમાં તબક્કાવાર ભરકતીઓ કરવામાં આવશે: જીતુ વાઘાણી
મુંખ્યમંત્રીએ દરેક વિભાગો પાસેથી માહિતી મંગાવી છે: જીતુ વાઘાણી
ગુજરાતમાં સરકારી ભરતીઓને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. જેમા તેમણે કહ્યું કે સમગ્ર મામલે મુખ્યમંત્રીએ વિભાગો પાસેથી માહિતી મંગાવી છે. સાથેજ રાજ્યમાં તબક્કાવાર ભરતીઓ પણ કરવામાં આવશે તેવું પણ જીતુ વાધાણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હાલ ભરતીઓની જાહેરાત થઈ રહી છે.
ખેડૂતોને સહાય મળી તેનો ઉલ્લેખ
આ સિવાય જીતુ વાઘાણીએ જણાવ્યું કે વરસાદ બાદ સૌરાષ્ટ્ર સહિતનાં સાતથી આઠ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમા સર્વે બાદ સહાયની જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ કહ્યું કે કુદરત રૂઠે ત્યારે ખેડૂતો પર જે મુશ્કેલી આવે છે તેની સામે તે ખેડૂત ફરીથી ઊભો થઈ શકે તેનાં માટે આ મદદની જાહેરાત કરવામાં આવી છે. વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની અરજી કરવાનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે.
રોડ રસ્તાનાં કામ દિવાળી પહેલા પૂરા કરવાના આદેશ
આ સાથે જ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટ મીટિંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી પૂર્ણેશ મોદી સહિત આખા મંત્રાલયને રોડ રસ્તાને લઈને સૂચના આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં દરેક ગામડા અને શહેરમાં દિવાળી પહેલા જ રિપેરિંગ કામ પૂરા કરવાના આદેશ આપ્યા છે.
આગામી સમયમાં મોટા પાયે થશે ભરતીઓ
વાઘાણીએ વધુમાં કહ્યું કે હાલમાં ભરતીઓની જાહેરાત કરવામાં આવી છે અને આગામી સમયમાં હજુ પણ તબક્કાવાર ભરતીઓની જાહેરાત કરવામાં આવશે.
આ સિવાય CM પટેલે શું આદેશ આપ્યા
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાણ-ખનીજ વિભાગ અને GIDC ના પડતર પ્રશ્નો ઝડપથી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપ્યા છે.