બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હવે કમળાએ વર્તાવ્યો કેર, અહીં નોંધાયા 478 કેસ, ધ્યાન રાખજો નહીંતર ચઢી જશો ઝપટમાં
Last Updated: 08:23 PM, 8 January 2026
મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં કમળાના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. નગરમાં કમળાની સ્થિતિને કાબૂમાં લેવા માટે છેલ્લા 10 દિવસથી વહીવટી અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
કમળાના કેસોની વિગતવાર સ્થિતિનો ખ્યાલ મેળવવા જિલ્લા કલેક્ટરે બાલાસિનોરની મુલાકાત લીધી હતી. કલેક્ટરે કમળા પ્રભાવિત વિસ્તારોમાં જઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમજ સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરી તેમની સમસ્યાઓ જાણવામાં આવી. જ્યાં વધુ કેસ નોંધાયા છે .તે વિસ્તારોની ખાસ મુલાકાત લઈને તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ADVERTISEMENT
કુલ 478 કમળાના કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 478 કમળાના કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલ નગરમાં 52 ટીમો દ્વારા ઘરઘર સર્વેની કામગીરી ચાલી રહી છે. જેમાં લોકોના આરોગ્યની તપાસ સાથે પીવાના પાણીના સ્ત્રોતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી
ADVERTISEMENT
આરોગ્ય વિભાગે સ્પષ્ટ અપીલ કરી છે કે જ્યાં પાલિકાના પાણીના નમૂનાઓ અનફિટ જાહેર થયા છે, તે વિસ્તારોમાં લોકો નળનું પાણી પીવાનું ટાળે. આવા વિસ્તારોના રહેવાસીઓને ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવતું શુદ્ધ પાણી જ ઉપયોગમાં લેવા સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના બોપલમાં હુક્કાબારમાં પોલીસની રેડ, સંચાલક ધ્રુવ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ફરિયાદ
સાથે જ કમળા પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે પાણીની પાઇપલાઇનની રીપેરીંગ અને બદલાવની કામગીરી ચાલી રહી છે. જેથી ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની સમસ્યા ન સર્જાય. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.