બ્રેકિંગ ન્યુઝ
#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ
રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે
રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ
રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ
રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત
TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું
'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ
ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા
રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો
રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ
Malay
Last Updated: 08:41 AM, 3 June 2023
ADVERTISEMENT
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 8થી 10 વાગ્યા સુધી સાબરમતી નદીના કિનારે પૂજા કરવામાં આવશે.
ADVERTISEMENT
વિધિમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે
108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે. જેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ષોડશોપચાર પૂજા વિધી કરવામાં આવશે. આરતી બાદ ભગવાન જગન્નાથને મોસાળ મોકલવામાં આવ્યા હતા. જળયાત્રામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, સહિત શહેરના ધારાસભ્યો, કોર્પોરેટર અને ભાજપ સંગઠનના નેતાઓ હાજર રહેશે.
146મી રથયાત્રાના યજમાન બન્યા છે ઘનશ્યામ પટેલ
રથયાત્રાને લઈને મોસાળવાસીઓ પણ હવે ભાવવિભોર બનીને ભગવાનના મોસાળ પધારવાની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે 146મી રથયાત્રાના યજમાન ઘનશ્યામ પટેલ બન્યા છે. છેલ્લાં 10 વર્ષથી તેઓ યજમાન બનવાની રાહ જોતા હતા. આ વર્ષે શાયોના ગ્રુપના ઘનશ્યામ પટેલનું ડ્રોમાં નામ ખૂલતાં પરિવારમાં આનંદનો માહોલ છે.
કંઇક આવો નજારો હશે મામેરાની શોભાયાત્રાનો
ભગવાનના વાઘા દર વર્ષે અલગ અલગ થીમ પર તૈયાર થાય છે. આ વર્ષે મરુન, પીળા રંગમાં હેન્ડવર્કથી વાઘામાં મોરની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મામેરા દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં 15 હાથી આગળ રહેશે અને હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા કરાશે. કનૈયા જશોદાની થીમ પર મામેરું તૈયાર કરાયું છે. શોભાયાત્રા માટે આ થીમ પર ડ્રેસકોડ રહેશે. જેના માટે 4,000 સાડી અને 2,000 ડ્રેસ તૈયાર કરાયા છે. 700 ઝભ્ભા અને 700 સાડી સાથે કનૈયા અને જશોદા તૈયાર થશે.
બનાવવામાં આવ્યા છે ભગવાનના નવા રથો
આ વખતે ભગવાનના નવા રથો બનાવવામાં આવ્યા છે. 72 વર્ષ બાદ નવા રથમાં બેસીને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છેઆ વખતે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપશે. નગરજનો પણ નવા રથમાં નાથને જોવા માટે આતુર છે.
સાગ અને સિસમના લાકડાથી બનાવવામાં આવ્યા છે રથ
ભગવાનના રથ બનાવવા માટે સાગ અને સિસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કિટાણું રોકીને ઘણું વધુ ટકાઉ બને છે, માટે તેનો ઉપયોગ પૈંડા બનાવવા માટે કરવામાં આવ્યો છે. રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું લાકડું અને 150 ઘનફૂટ સિસમનું લાકડું ઉપયોગ કરાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.