બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 03:24 PM, 17 January 2024
ADVERTISEMENT
ઈરાન અને પાકિસ્તાન બન્ને ઈસ્લામિક દેશ છે અને પેલેસ્ટાઇન સહિત ઘણા મુદ્દાઓ પર બંનેનો એક જ મત છે. તેમ છતાં ઈરાને પાકિસ્તાન પર મિસાઈલથી હુમલો કેમ કર્યો તે અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે. ઈરાને બલુચિસ્તાનમાં મિસાઈલ હુમલા દ્વારા આતંકી સંગઠન જૈશ અલ-અદલના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે. આ હુમલા બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે અને પરિણામ ભોગવવાની ધમકી આપી છે. આવી સ્થિતિમાં ઇરાને ઇસ્લામિક દેશ પર આટલો ભીષણ હુમલો શા માટે કર્યો તે સવાલ ઉઠી રહ્યો છે. જવાબ એક મહિના પહેલા જે બન્યું તેના પરથી આવે છે.
Big News 🗞️.#Pakistan has become a Mandir ka ghanta after India now Iran has conducted an air strike on Pakistan supported Sunni terrorist groups in #Balochistan.
— Jyotsana (@JyotsanaMelborn) January 17, 2024
5 Pakistani soldiers and more than 20 terrorists were killed in Balochistan.
Pakistan becoming a failed country. pic.twitter.com/THe4G0kDH9
ADVERTISEMENT
ઈરાને લીધો 11 સૈનિકોના મોતનો બદલો
વાસ્તવમાં જૈશ અલ-અદલ સુન્ની વિચારધારા ધરાવતું ખૂંખાર આતંકવાદી સંગઠન છે, જેના ઈરાન સાથે મતભેદ છે. તે ઘણીવાર ઈરાન સાથેની સરહદ પર હુમલો કરી ચૂક્યો છે અને પોતાની સેનાને નિશાન બનાવી ચૂક્યો છે. પરંતુ ગયા મહિને ડિસેમ્બરમાં તેણે ઈરાની સેના પર હુમલો કર્યો હતો, જેમાં તેના 11 જવાનો માર્યા ગયા હતા. ઈરાને આ ઘટનાનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો.
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ
ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ છે અને પહેલી વાર ઈરાને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. ખાસ કરીને ઈરાનનું સિસ્તાન અને પાકિસ્તાનનું બલૂચિસ્તાન તેની સરહદે છે. સિસ્તાન પ્રાંતમાં ઈરાનના લઘુમતી સુન્ની મુસ્લિમો વસે છે, જેમની સંસ્કૃતિ બલૂચ લોકો સાથે મેળ ખાય છે. તેમનો દાવો છે કે ઈરાનમાં તેમની પર અત્યાચાર થાય છે અને તેઓ ભેદભાવનો ભોગ બને છે. ઈરાનનું કહેવું છે કે બલૂચિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન સક્રિય છે, જે પોતાના સીમાવર્તી વિસ્તારને નિશાન બનાવે છે. સાથે જ પાકિસ્તાન આ વાતને નકારી રહ્યું છે. ઈરાન શિયા દેશ છે, જ્યારે પાકિસ્તાન સુન્ની બહુમતી ધરાવે છે. આવી સ્થિતિમાં, બંને વચ્ચે કેટલાક મતભેદો થયા છે.
કોણ છે જૈશ અલ-અદલ?
આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલની સ્થાપના 2012માં થઈ હતી. તેના નામનો અર્થ થાય છે 'આર્મી ઓફ જસ્ટિસ'. આ આતંકી સંગઠન બલૂચિસ્તાનના વિસ્તારોમાં સક્રિય રહ્યું છે અને ઈરાનની સિસ્તાન પ્રાંત સાથેની સરહદ પર પોતાના સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યું છે. આ આતંકી સંગઠનને નિશાન બનાવ્યા બાદ ઈરાને કહ્યું છે કે, તેણે બે બેઝને નષ્ટ કરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.