બ્રેકિંગ ન્યુઝ
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં સતત ત્રણ મેચ હારી ચુકી હતી. મુંબઈ ઈન્ડિયન્સની અસફળતા બાદ હાર્દિક પંડ્યા પર પોતાની કેપ્ટન્સી બચાવવાનું દબાણ હતું. 1 એપ્રિલે રાજસ્થાન રોયલ્સના સામે મેચ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને લગભગ 1 અઠવાડિયાનો બ્રેક મળ્યો. આ બ્રેક વખતે હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર દર્શન માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં આખરે મુંબઈ ઈન્ડિયન્સને IPL 2024માં પોતાની પહેલી જીત મળી ગઈ. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં શરૂઆતની સતત ત્રણ મેચ હાર્યા બાદ ચોથી મેચમાં પોતાની પહેલી જીત મેળવી લીધી. મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે રમાયેલ IPL 2024 મેચમાં દિલ્હી કેપિટલ્સને 29 રનોથી હરાવી.
ફેંસે કહ્યું- આ મહાદેવની શક્તિ છે
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીત બાદ સોશિયલ મીડિયા પર ફેંસ અચાનક હરકતમાં આવી ગયા છે. ફેંસનું કહેવું છે કે હાર્દિક પંડ્યાને સોમનાથ મંદિર ગયા બાદ મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. હાર્દિક પંડ્યાએ દિલ્હી કેપિટલ્સના સામે રવિવારે રમેલી IPLમાં જીત બાદ એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર ફેંસ કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ મહાદેવની શક્તિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
7 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના સામે મેચ પહેલા હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યાના ઘણા ફોટો અને વીડિયો પણ આવ્યા હતા. હાર્દિક પંડ્યાને જેમાં તે મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.