બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું એક એવું ગામ, જ્યાં એકસમયે 15000 લોકો રહેતા, પછી રાતોરાત ગાયબ!

રહસ્ય / ગુજરાતનું એક એવું ગામ, જ્યાં એકસમયે 15000 લોકો રહેતા, પછી રાતોરાત ગાયબ!

Last Updated: 02:26 PM, 23 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lakhpat Fort : એવા વિસ્તારો કે જ્યાં ઘરો છે, પણ કુટુંબના સભ્યો નથી. રસ્તાઓ છે, પણ રાહદારીઓ નથી. શહેરો છે, પણ સર્વત્ર નિર્જનતા છે. તમે જે શહેર, ગામ કે નગરમાં રહો છો તે એક દિવસમાં નાશ પામશે તો શું થશે? તેના વિશે વિચારવું પણ અશક્ય લાગે છે. એક જ દિવસમાં સેંકડો, હજારો કે લાખોની વસ્તી કેવી રીતે ગાયબ થઈ શકે?

Lakhpat Fort : ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં એવા ગામડાઓ છે જે રાતોરાત અચાનક ખાલી ગયા હતા. આજે આપણે એવા જ કેટલાક ગામ વિશે વાત કરીશું. જેમાં આપણા ગુજરાતનું પણ એક ગામ છે અને એ છે લખપત. વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ લખપત ગામનો પોતાનો એક અલગ ઇતિહાસ રહ્યો. આ પ્રમાણે રાજસ્થાનના જેસલમેર જિલ્લાનું કુલધરા ગામ પણ છે રાતોરાત જ ખાલી થઈ ગયું હતું તો તમિલનાડુનું ધનુષકોડી ગામની પણ કઈક આવી જ કહાની છે.

એક એવો વિસ્તાર કે જ્યાં ઘરો છે, પણ કુટુંબના સભ્યો નથી. રસ્તાઓ છે, પણ રાહદારીઓ નથી. શહેરો છે, પણ સર્વત્ર નિર્જનતા છે. તમે જે શહેર, ગામ કે નગરમાં રહો છો તે એક દિવસમાં નાશ પામશે તો શું થશે? તેના વિશે વિચારવું પણ અશક્ય લાગે છે. એક જ દિવસમાં સેંકડો, હજારો કે લાખોની વસ્તી કેવી રીતે ગાયબ થઈ શકે? સુસ્થાપિત શહેર એક જ દિવસમાં વેરાન કેવી રીતે થઈ શકે? તે અસંભવ લાગે છે, પરંતુ આજે આપણે એક નહીં પરંતુ ત્રણ શહેરો વિશે જાણીશું જે એક જ રાતમાં નિર્જન થઈ ગયા.

ગુજરાતમાં આવેલ લખપતનો કિલ્લો

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા ગણાતા કચ્છમાં આવેલ છે આ લખપત જિલ્લો. એક સમયે આ શહેરની વસ્તી હજારોમાં હતી અને અહીં રહેતા દરેક વ્યક્તિની આવક લાખોમાં હતી. તેથી જ આ જગ્યાનું નામ 'લખપત' પડ્યું. આ શહેર વ્યાપારી દૃષ્ટિકોણથી મહત્વનું હતું કારણ કે તે ગુજરાત અને સિંધને જોડતું હતું. આ શહેરમુ નિર્માણ જમાદાર ફતેહ મોહમ્મદ દ્વારા ઈ.સ. 1801માં કરાવ્યું હતું. તે સમયે તે ગુજરાતની સૌથી મોટી અને સમૃદ્ધ વસાહતોમાંની એક હતી. કિલ્લાની દિવાલોની અંદર 15,000 થી વધુ લોકો રહેતા હતા, પરંતુ પછી એક દિવસ બધું બદલાઈ ગયું. કિલ્લાની દીવાલ, કિલ્લામાં બનેલાં મકાનો અને ઘરમાં રાખેલી વસ્તુઓ, બધું જ તે સમયે જેવું હતું એવું છે, પણ જો તે ન હોય તો અહીં રહેતા લોકો. 1819માં આવેલા ધરતીકંપે શહેરને હંમેશ માટે બદલી નાખ્યું. સિંધુ નદીનો પ્રવાહ શહેરથી દૂર ગયો અને જ્યાં એક સમયે લાલ ચોખાની ખેતી થતી હતી ત્યાં લોકો પાણીના એક ટીપા માટે પણ તડપવા લાગ્યા અને આખરે શહેરના લોકોએ સ્થળાંતર કરવાનું નક્કી કર્યું અને કરોડપતિઓનું આ શહેર કાયમ માટે નિર્જન બની ગયું.

રાજસ્થાનના જેસલમેરનું કુલધરા ગામ

પાલીવાલ બ્રાહ્મણોનું આ ગામ એક સમયે રાજસ્થાનનું ગૌરવ હતું, પરંતુ આજે તે દેશના સૌથી ભૂતિયા સ્થળોમાંનું એક છે. લગભગ 200 વર્ષ પહેલા કુલધારા ગામમાં મોટી સંખ્યામાં પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા. 1825માં અચાનક બધાએ આ ગામ ખાલી કર્યું. એવું માનવામાં આવે છે કે, ગામ ખાલી કરતી વખતે લોકોએ શ્રાપ આપ્યો હતો કે જે પણ આ ગામમાં વસવાટ કરવાનો પ્રયાસ કરશે તે સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તે ઘટના બાદ આ ગામ હજુ સુધી નિર્જન જ છે. એવું કહેવાય છે કે આ ગામ આધ્યાત્મિક શક્તિઓના નિયંત્રણમાં છે. પર્યટન સ્થળમાં પરિવર્તિત થયેલા કુલધરા ગામની મુલાકાત લેનારા લોકોના મતે અહીં રહેતા પાલીવાલ બ્રાહ્મણોનો અવાજ હજુ પણ સંભળાય છે. ત્યાં તેમને હંમેશા એવું લાગે છે કે કોઈ ફરતું હોય છે, બજારમાં કોલાહલનો અવાજ આવે છે, સ્ત્રીઓ વાતો કરે છે અને તેમની બંગડીઓ અને પાયલનો અવાજ હંમેશા સંભળાય છે. પ્રશાસને આ ગામની સરહદ પર એક ગેટ બનાવ્યો છે, જેના દ્વારા દિવસ દરમિયાન પ્રવાસીઓ ફરવા આવતા રહે છે પરંતુ રાત્રે કોઈ આ દરવાજો પાર કરવાની હિંમત કરતું નથી.

કઈક આવું જ છે તમિલનાડુનું ધનુષકોડી ગામ

તમિલનાડુના રામેશ્વરમનું ધનુષકોડી ગામની પણ એક અલગ વાર્તા છે. ચર્ચ, રેલ્વે સ્ટેશન અને પોસ્ટઓફિસ… ગમે તે શહેરમાં ગમે તે હોય, પણ બધું સાવ નિર્જન છે. આ સ્થળ છે રામેશ્વરમનું ધનુષકોડી ગામ, જે ભારત અને શ્રીલંકા વચ્ચેની એકમાત્ર જમીન સરહદ છે. રેતીના ટેકરા પર માત્ર 50 યાર્ડમાં પથરાયેલું આ ગામ દુનિયાની સૌથી નાની જગ્યાઓમાંથી એક છે. 1964ના ચક્રવાત પહેલા ધનુષકોડી એક તેજીમય પ્રવાસન સ્થળ હતું. સીલોન (હવે શ્રીલંકામાં) અને ધનુષકોડી વચ્ચે મુસાફરો અને માલસામાનને સમુદ્ર પાર કરવા માટે ઘણી સાપ્તાહિક ફેરી સેવાઓ પણ હતી.

વધુ વાંચો : નર્મદા કેનાલમાં ડૂબતા દંપતીની વ્હારે આવ્યા પોલીસ જવાનો, કઇ રીતે આખું રેસ્ક્યૂ પાર પડ્યું, જુઓ Video

આ સિવાય સુનામીના કારણે ઘણી હોટલો, કપડાની દુકાનો અને ધર્મશાળાઓ પણ નષ્ટ થઈ ગઈ હતી. કહેવાય છે કે, ધનુષકોડી તે જગ્યા છે જ્યાંથી સમુદ્ર ઉપર રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું. એવું કહેવાય છે કે, આ જ સ્થાન પર ભગવાન શ્રી રામે હનુમાનજીને એક પુલ બનાવવાનો આદેશ આપ્યો હતો જેના દ્વારા વાનર સેના લંકામાં પ્રવેશ કરી શકે. કહેવાય છે કે, વિભીષણની વિનંતી પર ભગવાન રામે પોતાના ધનુષ્યના એક છેડાથી પુલ તોડી નાખ્યો હતો. આ કારણથી તેનું નામ ધનુષકોટી પડ્યું. તમિલમાં કોટીનો અર્થ માથું છે, તેથી તેનું નામ ધનુષકોડી રાખવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhanushkodi Lakhpat Fort Kuldhara
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ