બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
સેન્ટર્સ ફોર કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના એક રિપોર્ટ મુજબ હવામાન, ભૌગોલિક સ્થિતિ, ખાનપાનની જે તે વિસ્તારની ટેવો વગેરેની આપણા આરોગ્ય પર અસર હોય છે. ભારતમાં ઘરમાં બનાવાતું પરંપરાગત ભોજન એકંદરે સંતુલિત કહેવાય છે. તેમ છતાં ભારતીયોમાં પાંચ પ્રકારનાં તત્વોની ઉણપ જોવા મળે છે. આયર્ન: તેની ઉણપ આમ તો વૈશ્વિક સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) મુજબ દુનિયાના 30 ટકા લોકો આયર્નની ઉણપ (એનેમિયા)થી પિડાય છે.
ભારતમાં ખાસ કરીને મહિલાઓમાં (women) આ સમસ્યા વધુ છે.ભારતમાં કરાયેલા સર્વેમાં 50 ટકા મહિલામાં આયર્નની સમસ્યા જણાઇ હતી. વિટામિન ડી: અત્યારે મોટી સંખ્યામાં લોકો તેની ઉણપ જોવા મળે છે. દુનિયામાં તેનું પ્રમાણ 50 ટકાથી 90 ટકા સુધીનું છે. વિટામિન ડી સુર્યપ્રકાશ અને કેટલીક ચીજોમાંથી મળે છે.તેની ઉણપથી હાડકા નબળા પડે છે. ડાયાબિટિશ અને બીપીના દર્દીઓને તેની ઉણપથી સમસ્યા વધુ ગંભીર બને છે.
ADVERTISEMENT

આયોડિન: શરીરમાં થાઇરોઇડનું યોગ્ય પ્રમાણ જળવાઇ રહે તે માટે આયોડિન જરુરી છે.શરીરમા વિકાસ માટે જરુરી ગ્રોથ હોર્મોન્સ માટે પણ તે અતિ આવશ્યક છે.ભારતમાં તેથી જ આયોડાઇઝ મીઠું લેવાની ભલામણ કરાય છે. વિટામિન એ: વિટામિન એની ખામીની સીધી અસર આંખ પર થાય છે.તેની ઉણપ વધુ પ્રમાણમાં હોય તો અંધાપાનો ખતરો પણ રહે છે.
ADVERTISEMENT
નવજાત બાળકને સ્તનપાન કરાવવામાં આવે તો આ બાળકોમાં આ ઉણપ થતી નથી.હાડકાના સ્વાસ્થ્ય માટે પણ તે જરુરી છે. વિટામિન સી: મજબુત રોગ પ્રતિકારકશકિત અને હેલ્ધી સ્કીન માટે આ વિટામિન યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તે જરુરી છે. ભારતમાં 60 વર્ષથી વધુ વયના 73 ટકા લોકો તેની ઉણપથી પિડાય છે. આ ઉપરાંત તમાકુનાં વ્યસનીઓમાં પણ તેની ઉણપ વધુ જોવાં મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.