બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Indian Whisky: શું ભારતમાં ‘નકલી’ વ્હિસ્કી વેચાય છે? ભારતીય અને વિદેશી વ્હિસ્કીમાં શું ફરક, જાણો આખી હકીકત
7 ફોટો ગેલેરી
Last Updated: 10:52 AM, 7 August 2026
1/7
ભારતમાં મળતી વ્હિસ્કી ખરેખર ઓરિજિનલ હોય છે કે નહીં? તાજેતરમાં વ્હિસ્કી અને રમના કેટલાક ફ્લેવર વેચાણ અંગે ચર્ચા શરૂ થતાં ઘણા લોકોના મનમાં આ સવાલ ઊભો થયો છે. હકીકતમાં ભારત અને વિદેશમાં વ્હિસ્કી બનાવવાની પ્રક્રિયામાં મોટો તફાવત છે. જોકે તેનો અર્થ એવો નથી કે ભારતમાં વેચાતી દરેક વ્હિસ્કી નકલી હોય છે. ચાલો જાણીએ બંને વચ્ચેનો સાચો તફાવત.
2/7
દુનિયાના મોટા ભાગના દેશોમાં વ્હિસ્કી અનાજમાંથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે જવ, મકાઈ, રાઈ અથવા ઘઉં જેવા અનાજને પાણી સાથે ફર્મેન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ડિસ્ટિલ કરીને ઓકના લાકડાના બેરલમાં ઘણા વર્ષો સુધી પરિપક્વ થવા માટે રાખવામાં આવે છે. આ લાંબી પ્રક્રિયા દરમિયાન વ્હિસ્કીમાં રંગ, સુગંધ અને સ્વાદ વિકસે છે. તેથી જ સ્કોચ, બર્બન અને અન્ય પરંપરાગત વ્હિસ્કીનો સ્વાદ માત્ર આલ્કોહોલથી નહીં પરંતુ અનાજ, ડિસ્ટિલેશન અને બેરલમાં પસાર કરેલા સમયથી તૈયાર થાય છે. ખાસ કરીને સ્કોચ અને બર્બન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ કડક નિયમોનું પાલન કરવામાં આવે છે.
3/7
ભારતમાં બનતી ઘણી વ્હિસ્કી સ્કોટલેન્ડ, અમેરિકા અથવા આયર્લેન્ડમાં બનતી પરંપરાગત વ્હિસ્કીથી અલગ રીતે બનાવવામાં આવે છે. જોકે તે કાયદેસર રીતે માન્ય હોય છે અને તેના માટે અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે.ભારતમાં વ્હિસ્કી બનાવવા માટે કૃષિ આધારિત એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA)નો ઉપયોગ કરવાની મંજૂરી છે. આ જ બાબત ભારતીય વ્હિસ્કીને પરંપરાગત સ્કોચ અથવા બર્બનથી અલગ બનાવે છે.
4/7
ENA એટલે Extra Neutral Alcohol, જે લગભગ રંગહીન, ગંધહીન અને સ્વાદ વિનાનો આલ્કોહોલ હોય છે. ભારતમાં તેનો સૌથી મોટો સ્ત્રોત શેરડીમાંથી ખાંડ બનાવ્યા પછી બચતો શીરો (Molasses) છે.શીરાને ફર્મેન્ટ અને ડિસ્ટિલ કરીને ENA તૈયાર કરવામાં આવે છે. બાદમાં તેનો ઉપયોગ વિવિધ આલ્કોહોલિક ઉત્પાદનો બનાવવા માટે કરવામાં આવે છે.
5/7
ભારતમાં વેચાતી ઘણી IMFL (Indian Made Foreign Liquor) વ્હિસ્કીમાં મુખ્ય આલ્કોહોલ બેઝ તરીકે ENAનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તેમાં થોડી માત્રામાં માલ્ટ અથવા ગ્રેન વ્હિસ્કી ઉમેરવામાં આવે છે.પછી પાણી, કેરેમલ અને મંજૂર ફ્લેવરિંગ દ્વારા અંતિમ રંગ, સુગંધ અને સ્વાદ તૈયાર કરવામાં આવે છે. જો આ ઉત્પાદન સરકારના નક્કી કરેલા ધોરણોને પૂર્ણ કરે છે તો તેને કાયદેસર રીતે 'વ્હિસ્કી' તરીકે વેચી શકાય છે. એટલે ભારતમાં વેચાતી દરેક વ્હિસ્કી પરંપરાગત સ્કોચ અથવા સિંગલ માલ્ટ જેવી જ પ્રક્રિયામાંથી પસાર થતી નથી.
6/7
ના. ભારતમાં અનેક પ્રીમિયમ સિંગલ માલ્ટ વ્હિસ્કી પણ બનાવવામાં આવે છે. આ વ્હિસ્કી સંપૂર્ણપણે અનાજમાંથી તૈયાર કરવામાં આવે છે અને તેને પણ ઓકના બેરલમાં વર્ષો સુધી પરિપક્વ કરવામાં આવે છે. તેની ઉત્પાદન પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય ધોરણોની ખૂબ નજીક ગણાય છે. આ કારણે બજારમાં બે અલગ-અલગ બોટલ પર 'વ્હિસ્કી' લખેલું હોવા છતાં બંનેમાં વપરાતી સ્પિરિટ, તેની બનાવટ, એજિંગ, બેરલ અને બ્લેન્ડિંગની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. પરિણામે સ્વાદ, સુગંધ અને કિંમતમાં પણ મોટો તફાવત જોવા મળે છે.
7/7
ભારતમાં વેચાતી દરેક વ્હિસ્કીને નકલી કહેવું યોગ્ય નથી. હકીકતમાં ભારતીય અને વિદેશી વ્હિસ્કીની બનાવટની પદ્ધતિ અલગ છે. પરંપરાગત સ્કોચ અથવા બર્બન માત્ર અનાજમાંથી લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થાય છે, જ્યારે ભારતમાં ઘણી IMFL વ્હિસ્કીમાં ENA સાથે મર્યાદિત પ્રમાણમાં માલ્ટ અથવા ગ્રેન વ્હિસ્કી ભેળવીને ઉત્પાદન કરવામાં આવે છે.બીજી તરફ ભારતમાં બનતી સિંગલ માલ્ટ વ્હિસ્કી આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરીને બનાવવામાં આવે છે. એટલે વ્હિસ્કી ખરીદતી વખતે તેના પ્રકાર, ઉત્પાદન પ્રક્રિયા અને લેબલની માહિતી સમજવી મહત્વપૂર્ણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ